________________
જયશિખરે ભાટ-ચારણેને વનરાજ નાનો હતો ત્યારની વાત કહી સંભળાવી. વનરાજ ના હતા અને પારણુમાં સૂતા હતા. પતિ-પત્નિ બન્ને એકલા હતા. ત્યારે જયશિખરે રૂપસુંદરી સાથે પ્રેમચેષ્ટા કરી. રૂપસુંદરીને નિયમ હતો કે પરપુરૂષ હોય ત્યાં ચેષ્ટા ન કરવી. રૂપસુંદરીએ તે પ્રમાણે ના કહી અને પારણમાં સૂતેલ વનરાજને દેખાડ્યો. બન્નેએ પારણા તરફ જોયું. જે વનરાજ તેમની તરફ જોતો હતો તે મોઢું ફેરવી ગયો હતો. આથી રૂપસુંદરીને આઘાત લાગ્યો અને તેણે આપઘાત કર્યો.
આટલી હદ સુધી સ્ત્રી શીલ નિષ્ઠામાં આગળ હતી. પિતાનો જ છોકરે હતે, નાનો હતો છતાં મલાજો રાખવો જોઈએ એમ તે માનતી હતી. આવાં સ્ત્રીરત્નોના કારણે જ શીલ નિષ્ઠા ટકી શકી છે. મલાજે એટલે સાચી મર્યાદા
મલાજે એટલે માત્ર લાજ કાઢવી કે ઘુમટો તાણ એટલું જ નહીં; પણ વડીલોની સાચી મર્યાદા પાળવી રાજસ્થાનમાં બહેને લાંબે ઘુમટો કાઢે છે. એક કાળે એની પાછળ હેતુ હતો હવે રૂઢિ થઈ ગઈ છે.
આયર લોકો લાજ કાઢતા નથી. એકવાર પ્રસંગ બન્યો. દીકરે અને વહુ સાથે બેઠેલા. તેવામાં સસરાજી આવ્યા. વહુએ એ જોયું અને તેણે ઘુમટ કાઢી લીધે. સસરાએ વિચાર કર્યો કે મેં એનું મોટું જોયું એણે મારૂં જોયું, પછી ઘુમટો કાઢ એને અર્થે શે? એટલે તેણે નાત ભેગી કરી અને કાયમને ઘુમટો બંધ કર્યો. ગુજરાત અને રાજસ્થાન સિવાય બીજે ક્યાંયે ઘુમટો કઢાતો નથી. મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ કદીયે ઘુમટો કાઢતી નથી છતાં મલાજે બરાબર રાખે છે. દક્ષિણમાં પણ એવું જ છે. પંજાબ અને બંગાળમાં પણ એવું છે.
મર્યાદા જાળવવાની વાતને શીલનિષ્ઠા સાથે ઊંડે સંબંધ છે. તેમાં વધારે ઊંડા ઊતરવું પડશે. આજને પહેરવેશ, આજનાં ચલચિત્ર,
ભોગ વિલાસનાં સાધને, બીજાને આકર્ષવા માટેની બેટી રીતે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com