SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય અનંત જ્ઞાનમંત વ્યાપક બ્રહ્મ છે. તે આખા જગતમાં વ્યાપક રીતે ફેલાયેલું છે. હિંદુ ધધે તો બીજા ધર્મોને અપનાવવા અને પરિચય કરવા માટે શા માટે કરવું જોઈએ? જ્યારે તેણે સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા, ઉત્તર મીમાંસા (વેદાંત) ન્યાય અને વૈશેષિક ઉપરાંત જૈન, બૌદ્ધ અને ચાવકિ એમ નવ દર્શન સુધાંને પિતાનામાં સમાવેશ કરી લીધું છે. સોનું ગમે ત્યાં પડયું હેય ગંદકીમાં પણ, તોયે તેને ઉપાડી લેવામાં આવે છે. તેવી રીતે સત્ય ક્યાંયે મળતું હોય તો તેને લેવામાં શો વાંધે છે ? સર્વધર્મ આત્મીયતા કેળવવી ગઈકાલે શ્રી રામનારાયણ પાઠક મારી પાસે પિતાનાં લખેલા ચાર પુસ્તકો લાવ્યાં હતાં. તેમણે આ ચાર પુસ્તકો, હિંદુ ધર્મ, ઈલામ ધર્મ, ઈસાઈ ધર્મ અને બૌદ્ધ ધર્મ ઉપર લખ્યાં છે. તેમણે મને કહ્યું : મારે હવે જૈન ધર્મ ઉપર પુસ્તક લખવું છે માટે આપ મને માર્ગદર્શન આપે !” મેં કહ્યું : “આપ તો જૈનધર્મ, હિંદુ ધર્મમાં આવી જાય છે. કારણ કે હિંદુ ધર્મ એટલે હિંદમાં પેદા થયેલા બધા ધર્મો જૈનધર્મ સંશોધક ઘર્મ છે. વૈદિક ધર્મમાં તેણે ખુબ જ સંશોધન કર્યું છે. તે માટે એનું ખેડાણ સ્વતંત્ર રીતે થયું હોઈ તેની એ એક વિશેષતા છે.” લોકમાન્ય તિલક જેવાએ કહ્યું છે કે, વિદિક ધર્મ ઉપર અહિંસાનો જે કોઈ પ્રભાવ હોય તો તે જૈનધર્મને છે. હિંદુ ધર્મમાં અહિંસાને નવો ચાલો નાખીને, એટલા પ્રમાણમાં જૈનધર્મો એને પે તાનામાં રૂપાંતર કરી નાખ્યું છે. જૈનધર્મની કોઈ વિશેષતા હોય તો તે અહિંસાની છે. કોઈ કહેશે કે શીખ ધર્મ જુદે છે. શીખ ધર્મના આચાર, વિચાર અને ઉપાસ્ય દેવ જોતાં તેને સમાવેશ હિંદુ ધર્મમાં થઈ શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034807
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy