SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. સેમિનાથ પાટણમાં શિવમૂર્તિ સમક્ષ ઘૂંટણિયે પડી દર્શન કરેલાં. તેમણે સાફ કહેલું મારું પૂજન કોઈ નામ સાથે નિસ્બત ધરાવતું નથી, વીતરાગતારૂપી મહાગુણ સાથે નિસબત ધરાવે છે. નામ છેને શંકર હે, બ્રહ્મા છે, વિષ્ણુ છે અથવા જિનેશ્વર હે ! આનંદઘન યોગી પણ એ જ કહે છે: ભાજનભેદ ચાહે તેટલા હે ! પણ મૂળ માટી એક જ છે, તેમ રામ રહીમ, કૃષ્ણ-કરીમ જેવાં નામો ચાહે તેટલાં હે ! પણ મૂળે સગુણ મૂર્તિ તે સૌ છે.” અમારે રોટલાથી મતલબ છે, ટપટપથી કદી નહીં. એક મહત્વને સવાલ જવાબ અહીં એક મહત્ત્વને સવાલ એ છે કે શું બધા ધર્મોને એકસરખા ગણવા? જેમ એકડિયાથી માંડીને કોલેજ લગીના વિદ્યાર્થીઓ અને તેમના વર્ગો જુદા ગણાવા છતાં તે બધાની માલિક એકતામાં હાનિ પહેચે છે? જે નથી પહોંચતી તો કેટલાક ધર્મોમાં નીતિની વાત પર, કેટલાક ધર્મોમાં માનવધર્મની વાત પર અને કઈક ધર્મોમાં આધ્યાત્મિક ધર્મની વાત પર વધુ ઝોક હોય તેથી શી હાનિ છે? કશી નથી, ઊલટું પ્રાણી માત્રમાં માનવ જ શ્રેષ્ઠ છે. તેની પાસેથી જગતનાં સર્વ પ્રાણીઓની રક્ષાનું મહત્વનું કામ લેવું છે. તે પછી કોઈ એક જ સાંપ્રદાયિક ધર્મથી કેમ ચાલશે? જેમ જેમ માનવ પોતે સંપ્રદાયથી ઊંચે ઊઠતે જશે. અને બધા સંપ્રદાયમાં રહેલાં સત્ય સાથે પિતાના સંપ્રદાયમાંના સત્યનો સમન્વય જીવનમાં વણતો જશે, તેમ તેમ તે જાતે ઊંચે જશે. પિતાના સંપ્રદાયને ઊંચે લઈ જશે. અને બીજા સંપ્રદાયનાં માણસેને પિતાના સંપ્રદાયમાં પેસી ગયેલાં જુદાં જુદાં દૂષણોને કઢાવવાનું ભગીરથ કાર્ય કરવા તરફ ખેંચી જશે. આ કેટલી અદ્ભુત અને વ્યવહારુ વાત છે! એમ છે, તે પછી શા માટે આપણે પિતાપિતાના સંપ્રદાયમાં રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034807
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 04 Sarvdharmopasna
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy