SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ લોકસંપર્ક તે જરૂરી છે જ. ભલે હિમાલયમાં જઈને તપ કરે પણ તેમને પાછા તે લોકો વચ્ચે આવવાનું જ છે. ખેડૂત ગમે તેમ વાવે તે બી નકામાં જાય તેમ અનિષ્ટોને રોક્યા વગર સાધુ ઉપદેશ આપે તે તેનાથી કામ ન થાય! આજે તે ગી, પાખંડી વગેરે સાધુવેશે ફરનારા ઘણા છે તેથી સાચા સાધુઓને સહન કરવું પડે છે. જે એ સાધુઓ જાગૃત થાય તો જરૂર નકામો-કચરો સાધુ સંસ્થામાંથી નીકળી જશે. સ્પષ્ટ માર્ગ તરફ જ..! પૂ. સંતબાલજીએ કહ્યું : “હવે આપણે સાધુ-સાધ્વીઓ વિષેના સ્પષ્ટ માર્ગ તરફ વિચારણા વધારી રહ્યા છીએ એટલે જરૂર તેને ઘાટ ઘડાશે. શુદ્ધ સાધ્ય માટે સાધુ સાધ્વીઓએ શુદ્ધ માર્ગ જ લેવો જોઈએ. અશુદ્ધ સાધનોનો ઉપયોગ ન થવો જોઈએ. ધીરે ધીરે સહચિંતનથી આ વાત સમજાશે !” શ્રી, શ્રોફ : “સરકાર અને મૂડીવાદના આશ્રયે સાધુસંસ્થા ન પડે, તેમ જ નવી પેઢીને મૂડીવાદથી દૂર રાખી તૈયાર કરવાનું કાર્ય સાધુસંસ્થાએ જલદી કરવું પડશે. ગોસ્વામી : “દરેક ક્ષેત્રમાં કડવા મીઠા અનુભવ થાય ! તેમ સાધુ સંસ્થા અંગે પણ છે. તે છતાં શ્રદ્ધાથી મીઠાને સંકલિત કરતાં કડવાશ આપોઆપ દૂર થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034806
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy