SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના નમો લોએ સવ્વસાહૂણું” આ જેનેના પંચપરમેષ્ઠી મંત્રનું વાય છે; જેને સરળ અર્થ થાય છે–લેકમાં સર્વ સાધુઓને નમસ્કાર છે. પરંતુ જેનાગમના ટીકાકાર અભયદેવસૂરિ એક ઠેકાણે એને વ્યાપક અર્થ કરે છે–દશ્યમાન વિશ્વમાં સાર્વ–સર્વજન હિતકારી સાધુઓને નમસ્કાર છે. આ ઉપરથી આપણે કલ્પી શકીએ કે સાધુઓના જીવનને ઉરય શું છે? તેઓ જગતને માટે અત્યંત ઉપકારી હોય તે જ તેમને નમસ્કાર કરવામાં આવ્યા છે. આમ તે ભારતમાં ઘણા વેષધારી, વ્યસની બાવા, અવધૂત, નાગા, કકડ, ખાઈ પીને મસ્ત મસ્તા હોય છે. કેટલાક વળી કંડકાળો શિઘરાવી મોજ કરતા હોય છે. પણ આવા સાધુઓથી જગતને શે ફાયદો ? જગત એમની પાસેથી કરો નોધપાઠ લઈ શકે? એટલે જ જગતના હ ચેતનમાં રત રહે છે, તેને જ મુનિ કહેવામાં આવે છે. સાધુસાધ્યશિબિરમાં સાધુ સંસ્થાની ઉપયોગિતા અને અનિવાર્યત.” એ મૂર્ધન્ય વિષય લઈને આના જુદાં જુદાં પાસાંઓ ઉપર સારી પડે છણાવટ કરવામાં આવી હતી. શિબિરાર્થીઓ વચ્ચે ચર્ચા પણ આ અંગે ખૂબ થઈ હતી. આ મુદ્દા ઉપર શિબિરમાં વ્યાખ્યાન આપવાનું મારે ફાળે આવ્યું હતું. મેં એ વિષયને અંગોપાંગ છણાવટ કરવાને પ્રયત્ન કર્યો છે. કેટલાક વ્યાખ્યાનોમાં પુનરુકિત જેવું દેખાશે, પણ ખરું જોતાં એ વિષયને પરિપુષ્ટ કરવા માટે જરૂરી જણાતું હતું. હું નાનપણથી સાધુસંસ્થા અંગે વિચાર આવ્યો છું. એક રીતે કહું તે નાનપણમાં મને એક વખત દીક્ષા લેવાની ઈચ્છા થઈ ગઈ હતી, પણ સંજોગો બદલાયા અને હું તે વખતે મુનિદક્ષા લઈ શકો નહીં. પણ અન્નમનમાં એ સરકારે પડ્યા હતા, ફરી પાછું સંસ્કાર - સિંચન થતાં જ વૈરાગ્ય–અંકુર ઉદ્ભવ્યું અને મેં મુનિદીક્ષા લીધી. - સાધુજીવન વિષે જ્યારે-જ્યારે હું વિચારું છું ત્યારે ત્યારે મારા મનમસ્તિષ્કમાં એક જ વસ્તુ તરી આવે છે કે, જે સાધુસંસ્થા ન હેત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034806
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 03 Sadhu Samsthani Anivaryata ane Upayogita
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy