SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ સુસ્વરવાળાં વાજિંત્રથી શાહી સેના સહિત પ્રથમ વૈશાખ વદ ૭ ના રોજ નવીન નિર્માણ કરાવેલ દેવાલય લઈ સમસ્ત શ્રીસંઘે દિલ્હીથી પ્રયાણ કર્યું, એ વખતનું એ દશ્ય ખરેખર દેખવા ગ્ય મનહર હતું. સધવા સ્ત્રીઓ સુંદર સ્વરે સાથે હર્ષ પૂર્વક મંગલ ગીતો ગાઈ રહી હતી. અકિચનને ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ માટે દરેક પ્રકારની વ્યવસ્થા સંઘમાં હતી. તેમજ દીન દુઃખી યાચક જનને મને ભિલલિત દાન દેવાતું હતું, ભાટે અને બન્દી અને ઉચ્ચરવરે બિરદાવલીનો ઉચ્ચાર કરી રહ્યાં હતાં, દર્શકની અપાર ભીડ જામી હતી. કારણ કે જ્યાં આવો માન્ ઉત્સવ મંડાયે હોય ત્યાં અગણિત માનવ મેદની ઉભરાય એ સર્વથા સ્વાભાવિક છે. યાત્રાના પ્રથમ દિવસથી જ શેઠ રપતિએ અન્નક્ષેત્ર (દાન શાળા) ખોલી દીધું હતું, સંઘ દિલ્હીથી. પ્રયાણ કરી ક્રમશઃ કન્યાનયન (કન્ના) આવ્યા, ત્યાં યુગપ્રધાન આચાર્ય શ્રીજિનદત્તસૂરિજી મહારાજના વરદ કરકમલેથી શુભ મુહૂર્તમાં પ્રતિષ્ઠત પ્રભુ શ્રીમહાવીર જિન તીર્થનાં દર્શન કર્યા, ત્યાંથી ત્યાંના શ્રેષ્ઠિ પૂના, પન્ના, રાજા, રાજૂ, ઠદેપાલ, શા કાલા, ખારઈ પૂના આદિ સમુદાય તથા આશિકાના દેદા આદિ શ્રાવક સમુદાય સંઘ સાથે થયા, એવી રીતે સ્થાન સ્થાન પર પૂજા પ્રભાવના આદિ દ્વારા જૈન શાસનની પ્રભાવના કરને કરતે સંઘ અનુક્રમે નરભેટ પહોંચ્યા, ત્યાં પણ શ્રીજિનદત્તસૂરિજી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત અતિશય યુક્ત નવફણુ પાર્શ્વનાથ ભગવાનની વિભિન્ન પ્રકારે ભકિત પૂર્વક શુદ્ધ હૃદયથી વંદના કરી, ત્યાંથી શાક ભીના, દેવરાજ, અને ખાટુથી શા. ગોવાલ આદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034800
Book TitleDada Shree Jinkushalsuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherShravak Sangh
Publication Year1953
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy