SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તરફ પધાર્યા, ત્યાં વીરદેવ શ્રાવકે વિશેષ સમારોહ પૂર્વક પ્રવેશેત્સવ કરી ગુરૂભક્તિને અભૂતપૂર્વ લાભ પ્રાપ્ત કર્યો. સંઘને વિશેષ આગ્રડ હેવાથી અને ધર્મોન્નતિનો લાભ જાણીને આચાર્ય થયા બાદ પ્રથમ ચાતુર્માસ અગેજ યાપન કર્યું સં. ૧૩૭૮ માઘ સુદિ ૩ ના રોજ ભીમપલ્લીન શેઠ વીરદેવ તથા અન્ય શ્રાવક સમુદાયે પાટણના શ્રીસંઘ સાથે દીક્ષા માલારોપણ નિમિત્ત નન્દી મહોત્સવ તથા સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા આદિ ધાર્મિક કાર્યો કરી કરાવી ધર્મની વિશેષ પ્રભાવના કરી, આ પ્રસંગે રાજેન્દ્રચંદ્રાચાર્યું પણ માલા ગ્રહણ કરી, દેવપ્રભુ મુનિને દીક્ષા,વાચનાચાર્ય હેમભૂષણને ઉપાધ્યાયપદ અને મુનિચંદ્ર ગણિને વાચનાચાર્ય પદ આદિ આપવામાં આવ્યા, એજ વર્ષમાં પ્રતિજ્ઞાનું પાલન કરવામાં પ્રવીણ પૂજ્યશ્રીએ પિતાના ધ્યાન જ્ઞાનાદિ બલથી સ્વસમુદાયના અનેક વિદ્વાનના સુગ્ય પાઠક પ્રકાંડ પંડિત શ્રીવિવેકસમુદ્ર ઉપાધ્યાયનું અલ્પાયુ જાણું ભીમપલ્લીથી પુનઃ પાટણ આવ્યા, ત્યાં મિતી જેઠ વદિ ૧૪ ના શરીર સ્વસ્થ રહેવા છતાં શ્રીવિવેકસમુદ્ર ઉપાધ્યાયને ચતુર્વિધ સંઘ સમક્ષ મિથ્યાદુક્ત અપાવી ક્ષામણ પૂર્વક અનશન કરાવ્યું, પરમ કલ્યાણ કારક પંચ પરમેષ્ઠી મહામંત્રનું ધ્યાન કરતાં કરતાં આરાધના પૂર્વક જેઠ સુદી 2 ના રોજ ઉપાધ્યાયજી સ્વર્ગવાસી થયા, પાટણના સંઘે સમારોહ પૂર્વક એમને સ્વર્ગમત્સવ કર્યો, અગ્નિસંસ્કારના સ્થાન પર ઉપાધ્યાચજીની સુસ્મૃતિ કાયમ રાખવા માટે સ્થાનીય શ્રીસંઘ તરફથી 1 સંવત ૧૩૪૭ મિતી જ્યેષ્ઠ વદિ ૭ ને રોજ ભીમપલીમાં શ્રી જિનચંદ્રસૂરીશ્વરજીએ એમને દીક્ષા અર્પિત કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034800
Book TitleDada Shree Jinkushalsuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherShravak Sangh
Publication Year1953
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy