SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ અગીઆરમું ઉપશાંત મેહ વીતરાગ છઘસ્થ ગુણસ્થાન ૧૯૩ ક્ષયોપશમ અને ઉપશમમાં તફાવત–પહેલા અનંતાનુબંધી કષાયને ઉદય હોય ત્યાં સુધી ભવ્ય સિદ્ધિક આત્માઓ પણ સમ્યગદર્શન પ્રાપ્ત કરી શકતા નથી. અપ્રત્યાખ્યાનાવરણ નામના બીજા કષાયને ઉદય છતાં સમ્યફને લાભ થાય છે પરંતુ દેશ વિરતિપણું પ્રાપ્ત થતું નથી. ત્રીજા પ્રત્યાખ્યાનાવરણીય કષાયને ઉદય હોય ત્યાં સુધી સર્વ વિરતિ ચારિત્ર પ્રાપ્ત કરી શકાતું નથી. જો કે સમ્યક્ત્વ અને દેશ વિરતિપણું તે પ્રાપ્ત કરાય છે. આ પ્રમાણે મિથ્યાત્વ અને પહેલા બાર કષાયને શ્રેણી પર ચડતાં પહેલાં ક્ષપશમ થયું હતું પણ તે કર્મ પ્રકૃતિઓને ઉપશમ થયો નહોતે. ઉપશમ તે શ્રેણીમાં જ થાય છે. જ્યારે ક્ષયપશમ થાય છે ત્યારે જેનો જેને ક્ષયોપશમ થાય છે તેને તેને પ્રદેશદય હોય છે. ઉપશમમાં પ્રદેશોદય હેતો નથી. એ જ એ બંનેમાં ફરક છે. ' ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરતાં પહેલાં ઉપરોકત પ્રકૃતિઓને પ્રદેશદય હતો તે પ્રદેશદયને પણ ઉપશમ શ્રેણીમાં શાંત કરે છે. પ્રદેશદય અત્યંત મંદ શક્તિવાળો હોવાથી તે સમ્યકત્વ ગુણને ઘાત કરી શકતો નથી. એટલે ક્ષયપશમ થયા પછી મિથ્યાત્વ કે બાર કષાયો સમ્યફવને વાત કરી શકતા નથી. કારણ કે રસોદયથી પ્રદેશોદય તે અત્યંત મંદ સામર્થ્યવાળે છે. જેમ સંપૂર્ણ ચાર જ્ઞાનીને મતિજ્ઞાનાવરણ આદિને નિત્ય ઉદયધ્રુદય તેવા છતાં પણ તે ઉદય મંદ હોવાથી વિઘાત કરનારો તે નથી તેમ પ્રદેશેાદય પણ વિઘાત કરનાર થતો નથી એમ જાણવું. ઉપશાંત મહવીતરાગ છદ્મસ્ય ગુણસ્થાનકે આત્મા જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત માત્ર રહે છે. ત્યારપછી ત્યાંથી અવશય પડે છે. તે પ્રતિપાત બે રીતે થાય છે–(૧) ભવક્ષયથી, (૨) અધ્યાયય છે. તીન મતથી વિજ એમ જ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy