SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ચોટ ગુણસ્થાન અધિક ઈત્યાદિ ચડતા ચડતા રસાણના ક્રમને તેડીને વગણ વર્ગણુઓની વચ્ચે મોટું અંતર પાડી દેવું. જેમકે જે વણામાં અસકલ્પનાએ સે, એક એક, એકબે ઈત્યાદિ રસાણુઓ હતા તેમાંથી વિશુદ્ધિના બળથી રસ ઘટાડીને દશ, પંદર કે પચીસ રસાણુઓ રાખવા તે કિટ્ટી કહેવાય છે. અપૂર્વ સ્પર્ધક કાળે જે રસ હતું તેનાથી પણ અહીં અનંતગુણ હીન રસ કરે છે અને ચડતા ચડતા રસાણને કમ તોડે છે એ બંને વસ્તુ અહીં થાય છે. આ કિટ્ટીકરણ કાળમાં પૂર્વ તેમજ અપૂર્વ સ્પર્ધકની અનંતી કિટ્ટીઓ થાય છે. છતાં સત્તામાં પૂર્વ સ્પર્ધકે તેમ અપૂર્વ સ્પર્ધકે પણ રહે છે. સઘળા પૂર્વ અપૂર્વ સ્પર્ફકની કિટ્ટીઓ થતી નથી. કિટ્ટીકરણકાળના ચરમ (છેલા) સમયે એટલે કે નવમા ગુણસ્થાનકના ચરમ (છેલા) સમયે યુગપત અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ લેભ ઉપશમાવે છે, સંજ્વલન લેભને બંધ વિચ્છેદ અને બાદર લેભને ઉદય વિચ્છેદ થાય છે. ત્યાર પછી આત્મા દશામા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે. કિટ્ટીકરણ પૂરું થયે નવમું ગુણસ્થાન પૂરું થાય છે. દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનમાં પ્રતિ સમય કેટલીક કિટ્ટીઓને ઉદય ઉદીરણાથી ભોગવે છે. અને દ્વિતીય સ્થિતિમાંની કેટલીક થ્રિીઓને ઉપશમાવે છે. તથા સમયનૂન બે આવલિકા કાળમાં બંધાયેલા લેભના દળીયાને (પુળોને) તેટલાજ કાળે શાંત કરે છે. આ પ્રમાણે પ્રતિસમય ઉદય ઉદીરણાથી ભોગવતો તેમજ ઉપશમાવતે ત્યાં સુધી જાય કે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકને ચરમ સમય આવે. ને ચરમ સમયે સંજવલન લેભ સર્વથા શાંત થાય છે. ત્યાર પછીના સમયે આત્મા અગીઆરમા ઉપશાંત મોહ ગુણ રસ્થાનમાં પ્રવેશ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy