SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌઢ ગુણસ્થાન ૧૮૨ દ્મસ્થ બારમાં ક્ષીણમેાહ ગુણસ્થાનવાળા આત્માઓ પણ હોય છે. તેમનાથી જુદા પાડવા માટે અહી ઉપશાંતમેડ વિશેષણ છે કારણ કે આ ગુણસ્થાનના આત્માઓએ મેાહનીય કના સર્વથા ઉપશમ કર્યાં છે ત્યારે બારમા ગુરુસ્થાનવાળા આત્માઓએ મેહતા સર્વથા ક્ષય કર્યાં છે. ઉપશાંત મેહ છદ્મરથ વીતરાગ આત્માઓના જ્ઞાનાદિ ગુણેાના સ્વરૂપ વિશેષને ઉપશાંત માહ વીતરાગ દ્મસ્થ ગુણસ્થાન કહે છે. મેહને ઉપશમાવેલ છે એટલે તેની અંદર સંક્રમણ, ઉર્દૂન આદિ કરણા તેમજ વિપાકય કે પ્રદેશેાધ્ય કંઇ પણ પ્રવર્તતું નથી. દશમા ગુણસ્થાનમાં જેએ કષાયને ઉપશમ કરતા હતા તે ક્રમશઃ વિશુદ્ધિ વધવાથી સંપૂર્ણ માહને એટલે બાકી રહેલ લેાભના સુક્ષ્મ શને પણ દબાવી દીખે છે, તેથી આ અવસ્થા ઉપશાંત માહ કહેવાય છે. આ ઉપશાંત મેાહ અવસ્થામાં આવેલ જીવ અવસ્ય પતનને પામે છે. કારણ કે— મેાહને દબાવવાની અંતિમ સીમા સુધી એ પહોંચી ગયા એટલે પછી દુભાયેલા મેહુને વારે આવે છે અને જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંત દૂત પ્રમાણ કાળ સુધી તે આત્મા વીતરાગ અવસ્થામાં રહે છે. પણ પછી તે અવશ્ય મેહનું સામ્રાજ્ય જામે છે. દખાયલા મેહ, દારૂના ઢગલામાં આગની કણી લાગવાથી ભડાકા થાય તેમ, એકદમ ફૂટી નીકળે છે અને આત્માને વળી પાછો અધગામી બનાવે છે. તે વખતે જો તેનુ આયુષ્ય પૂરું થયું ઢય તે તે જીવ અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે અને સમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણસ્થાનને પામે છે. અને જો આયુષ્ય પૂરું ન થયું હેાય તેા આ ગુણુસ્થાને અંતર્મુહૂત કાળ રહીને જે ક્રમે તેણે આરહણુ કર્યુ. હાય છે તે જ ક્રમે પતન શરૂ થાય છે. આરેાણુ વખતે જે જે ગુણસ્થાન પ્રાપ્ત www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy