SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન ૧૩૨ ગ્રસ્ત ભવ્ય જીવને તેના પ્રતિકારરૂપે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે તેના આનંદમાં કાંઈ કચાશ રહે! નિશ્ચય અને વ્યવહાર સમ્યક્ત્વ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્માના શુદ્ધ પરિણામ તે નિશ્ચય સમક્તિ છે. આત્મા અને તેના ગુણે જુદા નથી, પરિણામે અનન્ય છે, એક છે. કારણકે અભેદ પરિણામે પરિણત થયેલે આત્મા તે તદ્ગુણુ રૂપ જ કહી શકાય. જેવુ જાણ્યું તેને જ ત્યાગભાવ જેને હાય અને શ્રદ્ધા પણ તેને અનુરૂપ હાય તેવા સ્વરૂપે પયેગી જીવતા આત્મા તેજ જ્ઞાન દર્શન, ચારિત્ર છે. આત્મા રત્નત્રયાત્મક અભેદ ભાવે શરીરમાં રહ્યો છે. માટે રત્નત્રયતા શુદ્દ ઉપયેગે વતં તા જીવને નિશ્ચય સમ્યક્ત્વ કહેવાય. સહજ સુખ આત્માને સ્વભાવ છે. એ સહેજ સુખનું સાધન એક માત્ર આત્મધ્યાન છે. તેને રત્નત્રય ધમ પણ કહે છે. તેમાં સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્રની એકતા છે. આત્માના શુદ્ધ સ્વભાવનું યથાય શ્રદ્ઘાન તે નિશ્ચય સમ્યગદર્શન છે. નિશ્ચય સમ્યક્ત્વ એ જ સાચું શુદ્ધ સભ્યત્વ છે. સાદન, પ`મહાસત્ર વગેરે હેતુથી ઉત્પન્ન થતા સમ્યકત્વને વ્યવહાર સમ્યક્ત્વ કહેવામાં આવે છે, સમ્યકત્વના ૬૭ ભેદેાનું જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયારૂપે યથાશકય પાલન કરવું તે વ્યવહાર સમ્યક્ત્વ છે. મેહનીય કર્માંના આક્રમણને હઠાવવા માટે વ્યવહાર સમ્યકત્વનું સેવન જરૂરી છે. જેમ ઔષધ ખાવાથી રાગ જાય છે તેમ વ્યવહાર સમ્યગ્દર્શનના સેવનથી નિશ્ચય સમ્યગ્દર્શનના પ્રકાશ થાય છે અને મિથ્યાત્વ રાગ જાય છે. એક જ દ્રવ્યના ભાવને તેજ સ્વરૂપે નિરૂપણુ કરવા તે નિશ્ચયનય છે અને તે દ્રશ્યના ભાવને ઉપચારથી ખીજા દ્રવ્યના ભાવ સ્વરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy