________________
|ઃ પુષ્પ
ધમધચંથમાળા : ૧૫ : કરતે એક દિવસ મથુરા નગરીએ આવી પહોંચ્યા અને ત્યાં બહોળો વેપાર કરીને ખૂબ ધન કમાવા લાગે.
સાપના કરંડિયાને સાચવ અને જુવાનીને જાળવવી એ બને કામ સરખાં છે. જે સાપને કરંડિયે જરાયે ખુલે રહી ગયે કે તેમને સાપ બહાર નીકળી આવે છે અને ગફલતમાં રહેલા તેના માલીકને દંશ દઈને તેને પ્રાણ હરી લે છે, તે જ રીતે જુવાની બરાબર ન જળવાણ કે તેમાં છુપાઈ રહેલે કામવાસનારૂપી સર્ષ બહાર નીકળી આવે છે અને તેના માલીકને દંશ દઈને તેને ચારિત્રરૂપી પ્રાણ હરી લે છે.
કુબેરદત્ત પિતાની જુવાનીને જાળવી શક્યો નહિ, કામવાસનાએ તેને તીણ દંશ દીધે, અને એક સંધ્યાકાળે તે મથુરાના રૂપબજારમાં નીકળી પડ્યો. અહીં નાની-મોટી અનેક રમણએ પિતાનાં રૂપનું છડેચક લીલામ કરી રહી હતી અને જે સદાગર વધારે મૂલ્ય આપતે તેને પિતાને દેહ સમર્પણ કરતી હતી.
કુબેરદત્ત પાસે ધનની કમી ન હતી, એટલે તેણે મથુરાના રૂ૫બજારનું સર્વશ્રેષ્ઠ રૂપ ખરીદવાનો નિર્ણય કર્યો અને એમ કરતાં તે કુબેરસેનાના દ્વારે આવી ઊભે. એક રંગીલા પરદેશી જુવાનને જોઈને કુબેરસેનાએ તેને સારી રીતે આદરસત્કાર કર્યો અને અનેક પ્રકારના હાવભાવથી તેના દિલને રંજિત કર્યું.
કુબેરસેના આધેડ ઉમરે પહોંચી હતી પણ તેણે પિતાની જુવાની જાળવી રાખી હતી અને હાવભાવ તથા અભિનયમાં તે તે અજોડ હતી. એટલે કુબેરદત્ત તેના પર લટુ બન્યું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com