SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ મનિષ દીઠ નગરીમાર કરી કરીને આ પ્રમાણે પિતાએ બહુ નિર્ભર્ચના કરવાથી પરશુરામ ચિંતવવા લાગ્યો કે પિતાને ઉદ્વેગ પમાડનાર એવા મારે અહીં રહેવું હવે ઘટિત નથી. આ પ્રમાણે વિચારીને તે ત્યાંથી એકલે પરદેશ જવા નીકળે. ઉત્તર પંથ તરફ ચાલતાં તે અનુક્રમે ઇંદ્રપ્રસ્થ નગર રોના ઉદ્યાનમાં આવ્યું. ત્યાં તેણે એક મુનિરાજને દીઠા. ભક્તિ પૂર્વક તેમના પવિત્ર ચરણ કમળમાં નિર્મળ આ રાવવાળા પરશુરામે વંદના કરીને પૂછ્યું- આપે શા કારણે દીક્ષા અંગીકાર કરી છે?” મુનિ બેલ્લા-તગર નામની નગરીમાં સુંદરદત્ત નામે શ્રેષ્ઠી વસે છે, તેને ઈદ્રદત્ત નામે. ભાગ્યહીન પુત્ર થયે. મત પિતાએ તે વનાવસ્થા પામ્યા ત્યારે શ્રેષ્ઠ કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું અને ગૃહકાર્યમાં તથા દ્રવ્યના ઉપાર્જનમાં તેને જોડી દીધું અનુક્રમે તેના માતા પિતા મરણ પામ્યા, ત્યાર પછી તેનું સર્વ દ્રવ્ય જળ, અગ્નિ અને તસ્કરાદિકના ઉપદ્વવથી ક્ષય પામી ગયું. જ્યારે તે લરિફથી ઘણે ઉપદ્રવિત થયો ત્યારે શૂન્ય ચિત્ત જેવો થઈ જઈને તે નગરમાંથી નીકળ્યો. ભમતાં ભમતાં એક સ્થાનકે તેણે એક મુનિને દીઠા એટલે તેણે પોતાના દારિદ્રનું કારણ પૂછ્યું, અતિશય જ્ઞાની મુનિ બેલ્યાપૂર્વે શામ્બી નગરીમાં બે પ્રથમ અણુવ્રતને ધારણ કરભારે તું શબ નામે વણિકે હતો. અન્યદા તેં ગુરૂ મહારાજને નમસ્કાર કરીને ત્રીજા અણુવ્રતનું સ્વરૂપ પૂછયું ૧ નિંદા કરવી, ધમકાવવું તે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034791
Book TitleCharitavali athva Katha Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy