SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ છે જે ઘણા જુના વખતની છે. આરસ અને ધાતુની મળીને એકંદર ૬૬ પ્રતિમાઓ છે. આ દેરાસરજીમાં જુદા જુદા ત્રણ દેરાસરે પધરાવવામાં આવ્યા છે. આ ૧. શા. જેચંદ સુખમલનું શ્રી સુવિધિનાથ ભગવાનનું મોટું દેરાસર. ૨. વખારવાળા ઉદેચંદ ઈરાચંદનું શ્રી શાંતિનાથનું દેરાસર (માટી આગ વખતે આવેલું માલુમ પડે છે.) ૩. નાનપરાના શા. પ્રેમચંદ પરશોતમના કુટુંબનું ઘર દેરાસર. પબાસનની છત્રી ઉપરના લેખ પરથી માલુમ પડે છે કે તે શ્રીમાલી ન્યાતના ચુનીલાલ છગનચંદ તરફથી કરાવવામાં આવ્યો છે. દેશાઈ પોળ ૩૫. શ્રી અજિતનાથજી ભગવાનનું દેરાસર, મૂળનાયક—શ્રી અજીતનાથ ભગવાન. સ્થળ-દેશાઈ પિળ. વહીવટદાર–તાસવાળા મેતીચંદ હીરાચંદ સંવત ૧૯૬૪ માં સંધ તરફથી આ દેરાસર બંધાયું. પ્રભુજીને ગાદીનશીન કરનાર શા. લલુભાઈ શીવચંદ. સ્થિતિ સારી. આ દેરાસરજીમાં આરસની બાવીસ પ્રતિમાઓ છે. ગોખલા પરના લેખો. સંવત ૧૯૫૬ ના વૈશાક સુદ ૬ ને શુક્ર તાસવાળા શીવચંદ સોમચંદના પુત્ર મોતીચંદની વતી લલ્લુભાઈએ પાર્શ્વનાથની પ્રતિમા પધરાવી છે. ૨. સંવત ૧૯૫૧ ના વૈશાખ સુદ ૬ ભોમવાર તાસવાળા હીરાચંદ ફુલચંદના પુત્ર મંછુભાઈએ આદીશ્વરજી ભગવાન પધરાવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૧.
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy