________________
પુસ્તકની પરિક્રમા
બ્રહ્મચર્યનાં નવાં મૂલ્ય” એ મુનિશ્રી નેમિચંદ્રજીની રસમય કૃતિ છે. આમ તો તેઓ પાંચેક વર્ષ પહેલાં ભાલનળકાંઠામાં એમના વડીલ ગુરુભ્રાતા સદ્દગત મુનિ મહારાજ શ્રી ડુંગરશીમુનિ સાથે આવ્યા, ત્યારથી આ વિષય પરત્વે ઠીક ઠીક છણાવટ થઈ હતી. તેઓ શ્રદ્ધાને તર્કની આંખથી જોઈ–તપાસીને ચાલનારા છે. તેથી તેમણે અનુબંધ વિચારધારાને એક પ્રાચીન કાળથી ચાલી આવેલી જેનપરંપરા તેમજ વર્તમાનકાળનાં યુગવલણ સાથેની સમતુલાની દૃષ્ટિએ ખૂબ ખૂબ ચાખી લીધી છે. એટલે જ એમની આ નાની પુસ્તિકામાં કેટલીક પ્રાચીન પરિભાષા દેખાય છે, તે કેટલીક નવીન આધુનિકતા પણ દેખાય છે. તેમણે આ નાની પુસ્તિકામાં જે વિષય છો છે, તે એક દૃષ્ટિએ સનાતન છે, બીજી દષ્ટિએ સાવ નો છે. સનાતન એટલા માટે કે એમાં કૃત્રિમ સાધન દ્વારા સંતતિધનો ધોધ ભારતમાંય ચાલે છે, તેવે વખતે બ્રહ્મચર્ય—સાધનાની મૌલિક્તા સુંદર રીતે રજૂ કરી છે. ને એટલા માટે કે સ્ત્રી પુરુષની અલગતાને આખેય ખ્યાલ એમણે સાવ નવી ઢબે રજૂ કર્યો છે.
અનબંધ વિચારધારામાં એકી સાથે બે વાતો દેખાય છે – (૧).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com