________________
૬૫
અને બીજી વખત સ્થૂલિભદ્ર મુનિના એક ગુરુભાઈને જોખમ ખેડીને પણ રજા ન આપત તો કેશા વેશ્યાને ત્યાં એની કસોટી થઈ તે થઈ શક્ત ખરી ? એ જોખમ ખેડવાથી કોશાને મહાન કામ કરવાની તક મળી અને મહાન સાધુ પડતા પડતા અટકી ગયા. નહીં તે એ જ સાધુ બીજે ક્યાંય જઈને પતન ન પામત તેની શી ખાતરી ? એક બાજુ મુનિ સ્થૂલિભદ્ર જે વેશ્યાને ત્યાં ચાતુર્માસ નિવાસનું જોખમ ન ખેડયું હોત તો કેશા વેશ્યાનું હૃદયપરિવર્તન ન થાત. તેમજ શરીરસ્પર્શ કરતાં હૃદયસ્પર્શનું મહત્ત્વ વધારે છે તે ન સમજાત. તે જ રીતે બીજી બાજુ સ્થૂલિભદ્ર મુનિના ગુભાઈને પણ કેશા વેશ્યા સંધરવા તૈયાર ન થઈ હોત અને પ્રતિબોધ ન આપ્યો હોત તો પતનમાંથી તેને કદી ન બચાવી શકો. એટલે જ મુનિ સ્થૂલિભદ્રને આવું જોખમ ખેડવાને લીધે તેમના ગુરુ દુષ્કર-દુષ્કર તપ કહી ધન્યવાદ આપે છે. અને જૈનસંધ “નંદ ત્રિકા' કહીને તેમને તે કાળથી અખંડ રીતે ભવ્ય અંજલિ આપે છે. કહેવાને અર્થ એ છે કે અમુક જોખમે ખેડચા વગર સાચી રીતે સંપૂર્ણ સામાજિક ક્રાંતિ થતી નથી.
” કહીને તેને આપે છે. અને જૈન
ભવ્ય અ
જૈન સંઘમાં તો ઠેઠ ઋષભદેવ ભગવાનના કાળથી આવાં અનેક જોખમે ખેડાયાં છે. ભગવાન મહાવીરે સ્ત્રીઓને સાધ્વી દીક્ષા આપવાનું જોખમ જ ન ખેડયું હોત નારીજાતિનું જે ઉત્થાન તે યુગમાં થયું અને સમાજને સર્વાગી વિકાસ નારીજાતિના માધ્યથથી થઈ શક્યો તે ન થઈ શકત.
- જિન કલ્પી જૈન મુનિઓ માટે તે અતિ ઉચ્ચ ભૂમિકાના હેઇ, સ્ત્રી શરીરને નિર્વિકારી સ્પર્શ પણ વ ગ નથી. જે કે આમાં પણ જોખમ તો હતું જ, લેકમાં પણ તે યુગમાં ટીકા થતી હતી; સુભદ્રા સતીને જીવન-પ્રસંગ એને એક નમને છે. સુભદ્રા પરણીને ઘેર આવી. ગૃહસ્થ જીવનમાં પતિવ્રતા ધર્મપરાયણ સુભા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com