SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્દશાની વાત પડી. ભિક્ષુ તરત જ ત્યાંથી ઉપડ્યા અને જ્યાં સુજાતા રુદન કરી રહી હતી, ત્યાં આવી પહોંચ્યા. સુજાતાને સંબેધવા લાગ્યા “બહેન, ગભરાશે નહીં, હું તમારી સેવામાં આવી પહોંચ્યો છું.” કાણ? હું ઉપગુપ્ત ભિક્ષુ “ઉપગુપ્તભિક્ષુએ તેની સારી પેઠે સારવાર કરી. સુજાતા સ્વસ્થ થઈ ગગ થઈને કહેવા લાગી “ધન્ય છે દેવતા! હું આપની જન્મોજન્મની ઋણી છું, હવે આપ મને તારે! ઉગારે!” સુજતા બૌદ્ધ સંઘમાં સાડવી તરીકે દીક્ષિત થઈ જાય છે. અને આ રીતે એક પાછળ પડી ગયેલી નારી જાગૃત થઈ પિતાના વાત્સલ્ય ઝરાને સમાજ સેવાના કાર્યમાં લગાડી દે છે. આ રીતે સમાજમાં લાખે વિધવા બહેનના પ્રશ્નો છે, હજારો વેશ્યા બહેનના પ્રશ્નો છે, તે ઉકેલવા માટે સ્ત્રી સાધ્વીઓના અને સ્ત્રી બ્રહ્મચારિણીઓનાં સાહચર્ય અને સહગની જરૂર ડગલે ને પગલે રહેવાની. આમ કરવાથી જ નારીજાતિમાં નૈતિક જાગૃતિ આવશે. તે પુરુષની સાથે ખભેખભા મીલાવી સમાજ વિકાસના કાર્યોમાં ભાગ લઈ શકશે. અને સ્ત્રી અને પુરા બંને સમાન ભૂમિકા ઉપર પહોંચવાથી જ સમાજ સમરસ થઈ શકશે. સ્ત્રીઓ પાછળ રહેશે અને પુરુષે આગળ વધી જશે તો સમાજવિકાસનું કાર્યક્ષેત્ર મંદ પડી જશે. પુરુષોના કાર્યમાં સ્ત્રીઓ સહકારક નહીં રહેવાથી ઊલટી વિઘકારક બની જશે. મહાત્મા ગાંધીજીએ એક વખતે પિતાના રચનાત્મક કાર્યકરને કહ્યું: “તમારે હવે જેલ જવું પડશે, છેને એટલી તૈયારી ? વિચારીને જવાબ આપશે.” પણ ગાંધીજી સમયે સમયે કાર્યકરને સૂચવતા રહેતા કે તમે આ વાત તમારે ઘેર તમારી પત્ની આગળ કરતા રહેજે. પણ કોઈએ પની આગળ આ વાત કરી નહીં. પરંતુ જ્યારે મહાત્માજીએ ઉપલી બાબતમાં જવાબ માગે, ત્યારે કાર્યકરોએ પિતાની પત્નીઓ આગળ પેલી વાત કરી. પણ પત્નીએ તે ઘડાયેલી અને સ્વરાજ્યના વિચારોથી ટેવાયેલી હતી જ નહીં, એટલે ઝઘડે કરવા લાગી. પુષો પનીઓને અસહાય છેડીને જેલ જાય, એ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034784
Book TitleBramhacharyana Nava Mulyo
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Santbal
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1961
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy