SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કોનામાં ક્યા ગુણની પૂર્તિ કરવી પડશે? પુષ્પસમી કુણી બુદ્ધિ હૈયું વજ સમું યદા, ત્યારે થશે જગે સૌની, સર્વાગપૂર્ણ સાધના. (૫) આપણે બ્રહ્મચર્યને વિધેયાત્મક અર્થ સ્વીકાર્યો. હવે સવાલ એ થાય છે કે નિર્દોષ સાહચર્યથી પરસ્પર સ્ત્રી પુરુષ સાધકેમાં કયા ગુણની પૂર્તિ કરવી પડશે ? સવાલ બહુ જ મહવને છે. એના જવાબમાં આપણે આજના યુગનું સારી પેઠે અવલોકન કરવું પડશે. કારણ કે યુગે યુગે મૂલ્ય પલટાય છે, તે પ્રમાણે સમાજના ગુણેમાં પણ ફેરફાર કરવા પડે છે. નારી જાતિમાં પહેલાં વર્ણવેલ મુખ્ય ગુણ હોવા છતાં; તે ગુણેને ઉપગ, નિરપયોગ કે દુરપયોગ કેટલે થાય છે ? તે પણ જેવું જરૂરી છે. આજે નારી જાતિમાં જેમ-જેમ આધુનિક શિક્ષણ વધતું જાય છે તેમ-તેમ સંયમનાં પ્રાચીન મૂલ્ય ખેવાતાં જાય છે. શ્રી વૃદ્ધિ માટે ટાપટીપ, ફેશન અને વિલાસ દિવસે દિવસે વધતાં જાય છે; બીજી બાજુ સાચી શ્રી વૃદ્ધિ માટે ખાનપાન અને રહેણી-કરણીમાં જે સંયમની જરૂર છે, આરોગ્ય સાચવવાની જરૂર છે, તે ગુણે આજની શિક્ષિત નારીમાં મેટે ભાગે નથી દેખાતા. ગૃહસ્થાશ્રમી નારીમાં જેમ ધીમે-ધીમે બ્રહ્મચર્યને આદર્શને લોપ થતો જાય છે, સ્વછંદતા અને અસંયમ પેસતાં જાય છે, તેમ સાધક જીવન ગાળનારી નારીમાં પણ એ બધાં દેષો એક યા બીજા પ્રકારે પેસતા દેખાય છે. એટલે શ્રી ગુણને ઉપયોગ નથી થતું, અને જે દુરપયોગ થાય છે, તેને સ્થાને એને સદુપયોગ થવો જરૂરી છે. જે આ ઊણપની પૂર્તિ ગુહસ્થાશ્રમી નારીમાં થાય તે તે સ્વસ્થ અને આરોગ્યપ્રદ ખાનપાન અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034784
Book TitleBramhacharyana Nava Mulyo
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Santbal
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1961
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy