SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૭) સ્થિતિમાં આવીએ ત્યાર પછી તેમાં અરસપરસ પાછો જ્યાં ભાણું વ્યવહાર હોય ત્યાં કન્યા વ્યવહાર દાખલ કરવાને બંધ કરી તે નાતે એકઠી કરવી એટલે વખત જતાં જે પરિણામ લાવવું છે તે આવશે.' કેટલાક માણસ આ વિચાર અમલમાં આવી શકે એવો છે એમ માને છે અને એજ ગ્ય ઉપાય છે એમ સૂચવે છે. હવે બીજે વિચાર એવો છે કે હાલ જે જે જુદી જુદી નાતેમાંથી જે હિમ્મત વાળા ગૃહસ્થ હોય તેઓએ હિમત ધરી કન્યા વ્યવહાર કરે ને એમ કરતાં એક જુદી નાત થાય તો થાય, પરંતુ આ નાત જલદી વધશે ને નાતેના બંધ જલદી તુટશે. અમને લાગે છે કે પ્રથમ સુચવેલા રસ્તા કરતાં આ બીજો રસ્તો સુગમ અને જલદી અમલમાં આવી શકે એવો છે. પહેલો રસ્તે અશક્ય તે નથી, પણ દુર્ધટછે. જે કે એકડાથીજ કન્યાઓની અછત વધી છે ને ઘણા હાનિકારક રિવાજો દાખલ થયા છે, તો પણ એકડા લાભકારક નથી અને તે તેડી નાંખવા જોઈએ, એમ એકડાવાળાઓમાંના મોટા ભાગના મનમાં ઉતરતું નથી. કન્યાની અધિરી દહાડે દહાડે વધતી જાય છે, ને તેના બીજા બીજા ઉપાય લેવાતા જાય છે, પરંતુ ખરે ઉપાય એકડા તેડવાનો છે તે ઘણા ખરાને ગળે ઉતરતું નથી. એકડા તેડવાનું કામ એકડાવાળાઓમાંના ઘણાખરા કબુલ ન કરે ત્યાં સુધી બને નહિ. એ કંઇ એક કે થાં માણસનું કામ નથી, ને મેટો જથો તે હજી કેળવણીને પ્રસાર જોઈએ તેટલો થયે નથી, એટલે જુને ચીલે ચાલવાનું પસંદ કરનારા છે. આથી એ રસ્તો ઘણો દુર્ધટ છે એમ અમે કહીએ છીએ. બીજા રસ્તાને માટે હકિકત જુદી છે. એમાં એક જ નાતના કે એક જ એકડાના ઘણા માણસનાત કે એક તોડવાના અભિપ્રાયના થવાની જરૂર નથી, જે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034779
Book TitleBhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Original Sutra AuthorN/A
AuthorKeshavlal Motilal
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1893
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy