________________
વિભાગ ૨ જે અર્વાચીન કાળ.
પ્રકરણ ૧ લું હાલની વર્ણ-જ્ઞાતિ ભેદની સ્થિતિ. પ્રાચીન કાળમાં મનુષ્ય જાતની પ્રથમ એક જ જ્ઞાતિ હતી એટલે કોઈ પ્રકારને વર્ણભેદ નહે; ત્યારપછી બે ભેદ વર્ણને લીધે ને છેવટ ચાર ભેદ ગુણુ કમાનુસાર ઉત્પન્ન થયા છે એ બતાવવામાં આવ્યું. એ ભેદને સાંધે ઢીલો ઢીલો થતો જાય એવા એવા નિયમો દહાડે દહાડે થતા ગયા. પ્રથમ લગ્ન સંબંધીના પ્રતિબંધના થોડાક નિયમો થયા. ઊંચા વર્ગવાળાઓએ નીચા વર્ગમાંથી કન્યા લાવવાની છટ રાખી, પણ આપવાને પ્રતિબંધ કર્યો. એમ કરતાં કરતાં ખાધા પીધાના કે આચાર વિચારના નિયમો થયા અને પ્રથમ જે ભેદ માત્ર ગુણક ઉપર હતા તે દહાડે દહાડે સ્થાપિત થતા ગયા, ને કાળે કરીને વર્ણવ્યવસ્થા તદન બદલાઈ ગઈ. પ્રથમ જ્ઞાતિ ભેદને આ ધાર ગુણકર્મ ઉપર હતો તેને બદલે હવે જન્મ ઊપર છે એમ સ્વીકારાયું. ચાર નાત હતી તેને બદલે અનેક નાતે બંધાઈ. “બ્રાભણ વાણિયાને અવતાર કે ખેળીયું ઇશ્વરે આપ્યું છે,” એમ મને નાવા લાગ્યું; ને દહાડે દહાડે એ ભેદ એટલા બળવાન થયા કે પાપ પુણ્યને આધાર, મોક્ષને આધાર ને આ દુનીઆના સર્વ વ્યવહારને આધાર એ ભેદ ઉપર છે એમ મનાવા લાગ્યું. જે કોઈ બ્રાહ્મણને ઘેર જન્મેલો પણ બ્રાહાણુના ગુણકર્મ વિનાને માણસ વાણિયાનું ખાય તે વટલાઈ જાય, પાપિષ્ટ થાય, ઇશ્વરને ગુન્હેગાર થાય, ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com