SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧ ) ૧૧ ઉપરની કલમમાં ઠરાવ્યા પ્રમાણે વેશવાળને નેધ જ્ઞાતિને પડે કરાવ્યું નહીં હોય અને લગ્ન થતાં સુધીમાં પક્ષકાર પૈકી કેઈને સદરહુ વેશવાળ સંબંધી જ્ઞાતિમાં ફરીયાદ કરવી હશે, તે રૂ. ૨) ફરીયાદ કરનાર પાસેથી વસુલ લઈ, પછી જ્ઞાતિ ફરીયાદ સાંભળશે. ૧૨ જ વેશવાળ કરતી વખતે ઓછામાં ઓછા રૂ. ૩૦૧) વર કન્યાના નામથી પલ્લાનાં મંડાવવાની જ્ઞાતિ ભલામણ કરે છે. જ વેશવાળથી લગ્ન લખ્યા પહેલા વધારેમાં વધારે રૂા. પ૦૦) સુધીનું ઘરેણું કરવું. જે તે પ્રમાણે નહીં કર્યું હેય તે, કન્યાવાળાની અરજ આથી જ્ઞાતિ, વરવાળાને તેમ કરવાની ફરજ પાડશે અને જે તે તેમ નહીં કરે તે જ્ઞાતિ એગ્ય કરશે. વધારે ઘરેણું કરનાર અને લેનાર બન્નેને રૂા. ૧૦૧) સુધી દંડ કરવામાં આવશે. • ૧૩ વેશવાળનાં લુગડાં વધારેમાં વધારે રૂા. ૬૦) ની કિંમતનાં નીચે મુજબ કરવાં. ૧ ઘાઘરો, ૧ પિોલકું, ૧ ઓઢણું, ૧ કસુંબ, સાકર શેર પા તથા રૂા. ૧) રોકડે એ પ્રમાણે આપવું. તે સિવાય બીજું કાંઈ મુકવું નહિં. કન્યાવાળાએ સાકરની થાળીમાં થોડી સાકર પાછી મૂકવી. એ પ્રમાણે લુગડાં ક્યથી લગ્ન વખતે મોટાં લુગડાં માગવાને હક કન્યાવાળાને રહેશે નહિં. કલમને ભંગ કરનાર દરેકને રૂ. ૫૧) સુધી દંડ કરવામાં આવશે. વરવાળા પરગામના હોય તે એકલા કન્યાવાળાને તેટલો દંડ કરવામાં આવશે. ૧૪ હુતાશની અને દશેરાના પહેલા પ વખતે વરવાળાએ સાકર શેર પા તથા સુતરાઉ કપડું એક આપવાં. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034778
Book TitleBhavnagar Dasha Shrimali Moti Gnatie Pasar Karelo Sthanik Dharo
Original Sutra AuthorN/A
AuthorDasha Shrimali Moti Gnati
PublisherDasha Shrimali Moti Gnati
Publication Year
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy