SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કરી હતી, તેમ પુરાણુકાએ પણ અદયા, મથુરા, કાશી, અવંતિકા ( ઉજજન ), કાંચી, જગન્નાથપુરી અને દ્વારકાં એ સાત પુરી ઠરાવી છે. ( ૨૧ ) અવ્યકત સતમાંથી સ્વત સુષ્ટિ ઉત્પન્ન થઈ છે, તેનું વર્ણન પણ અલંકારથી એપાવીને કરેલું છે. ઉપર મુજબ વસ્તુસ્થિતિને ધ્યાનમાં લઈ સમય સંજોગાનુસાર લોકફચિને અનુકુળ થઈ પડે તેવી રીતે પુરાણોની રચના થએલી છે. આવી રચના કરવામાં ઘણું કરીને જનસમાજ પરધર્મમાં જતા અટકી તેઓ ભક્તિમાર્ગે વળીને પણ હિતકારક કર્મ કરવામાં મશગુલ રહે એજ હેતુ રાખેલો જણાય છે. પરંતુ ભક્તિને વધુ પ્રાધાન્ય આપવા જતાં નિરાકાર પરમાત્માને સાકાર ઠરાવી તેની મૂર્તિપુંજા અને અવતારાદિની ગોઠવણ કરી તેમાં જ લોકોને અતિશય મહ રહે–ભક્તિવાન થાય—માટે દરેક બાબતોને અલંકારથી એપાવીને એવી તો ચિત્તાક - ૧. વેદમાં પુ રૂદ્ર સર્વ વિગેરે ઘણું ગુહ્ય સુકત સૃષ્ટિની ઉત્પત્તિના સંબંધમાં છે. ઉપનિષદોમાં અક્ષત વકુચ પ્રાયેય હું બહુ થાઉં એમ ઈચ્છાથી જોયું એમ જણાવેલું છે. પુરાણમાં આ સંબંધમાં દરેકમાં જુદાં જુદાં વર્ણને છે, પરંતુ સામાન્ય રીતે સર્વમાં એવું જણાય છે કે નારાયણને સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ અને જળમાં શેષ ઉપર પોઢયા, તેમની નાભિમાંથી બ્રહ્મા થયા અને તેમણે સર્ગ વિસ્તાર્યો વિગેરે. વેદમાં પુરૂષ તેને જ ઉપનિષદમાં સત્ અને પુરાણોમાં નર ગણેલ છે. નરથી જે થયું તે નારા–જળ. સર્વમય અવ્યાકૃત ને વર્ણવી કેમ શકાય? વર્ણન કરવાથી તે ખ્યાત થઈ જાય માટે તેને ઉપમાથી સમજાવવા સારૂ સર્વમય પ્રાપ્તિ માત્રના જીવનના આધાર ૩૫ જળની ઉપમા આપેલી છે. તેમાં શેષ એટલે અનંત ઉપર સૂતેલા. નારાયણને અંત નથી માટે તે અનંત ઉપર સૂતેલા છે. તેના (અને તના) આધાર એટલે કારણરૂપ નારાયણ. અને તેમની સ્વતઃ પ્રવૃત્તિ જણાવવા માટે નાભિમાંથી કમળ થયું. ખાસ ઈચ્છા અને સ્વતઃ પ્રવૃત્તિ દર્શાવવા નાભિ અને કમળની ચેજના કરેલી છે. કારણ કે કમળ એ સ્વતઃ પ્રવૃત્તિનું ચિન્હ છે, સ્ત્રી પુરુષરૂપ પરાગ ( કમળ બીજમાં સપત્ર પુષ્પ કમલાકાર સ્થિત છે. ) કમળમાં જ છે. બીજ વૃક્ષનાં બીજાદિ સંબંધે તેમ નથી. બધા એટલે વેદને જાણુંનાર–વેદરૂપ નર. ચાર વેદ હેવાથી તે ચતુમુખ. તે બહાને પુત્ર તે મનુ મનવાળે તે મનુ અને મનું ઉપરથી મનુષ્ય આમ અર્થ સંકલના છે. ૨. કળા કૌશલ્યતામાં પ્રવિણ લેવાથી જળ, અગ્નિ, સૂર્ય, વિગેરે દેવે પાસે રાવણ કામ કર્ચવી લેતા હતા, તેને અલંકારાદિથી એપાવી રાવણે તમામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy