SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનો ધાર્મિક ઈતિહાસ. પ્રારંભિક વિચાર सदसस्पतिमद्रुत्तमियभिन्द्रिस्यकाम्यम् । सनिमेधामयाशिष ॐ स्वाहा ।। | ( યજુ. અ. ૩૨ મં–૧૩) સત્યાચારથી જ્ઞાનનું રક્ષણ કરવાવાળઃ આચર્યકારક ગુણ, કેમ અને સ્વભાવવાળાઃ ઈન્દ્રિયોના માલિક જીવની કામના પુરી કરવાવાળા હોવાથી તેના પ્યારા, સધાર પરમાત્માની ઉપાસના કરીને તે ઉત્તમ બુદ્ધિને પ્રાપ્ત કર્યું કે જેના વડે સત્યાસત્યને નિર્ણય થઈ શકે.” મનુષ્ય દેહની શ્રેeતા. જગતનિયંતા પરમકૃપાળુ પરમાત્માએ સકળ જગત નિર્માણ કર્યું છે તેમાં અનેક જાતના પ્રાણિ પદાર્થાદિ ઉત્પન્ન કરેલાં છે, એ સર્વમાં મનુષ્ય પ્રાણિ સૈાથી શ્રેષ્ઠ છે. કારણકે અન્ય પ્રાણિઓ કરતાં તેને વિશેષ બુદિપિ વિચાર કરવાનું બળવાન સાધન આપી જ્ઞાનયુક્ત કરેલા છે. આહાર, નિદ્રા, ભય અને મયુન એ ચારે પશુ તથા મનમાં સામાન્ય છે, પણ સારાસાર વિચાર કરવાની વિવેક શક્તિ મનુષ્યમાં અધિક છે. માટે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી સારાસાર વિચાર કરતે નથી ત પશુ સમાન છે એમ નિતિશાસ્ત્રકારો કર્થ છે. માટે મનુષ્ય પ્રાણને બુદ્ધિરૂપિ જે વિશેષ બક્ષીસ મળેલી છે. તેને તેણે સઉપયોગ કરી મનુષ્ય દેહનું સાર્યય કરવું ઘટે છે. કેમકે ધન, મિત્ર, વી વિગેરે સર્વ ફરી ફરી મળી શકે છે, પરંતુ આ મનુષ્યદેહ ફરી ફરી મળી શકર્તા નથી. મનુષ્ય દેહ મને ઘણે દુર્લભ છે. અખબમણાઃ પર ૧. ચાણક્ય, ભતૃહરિ, વિગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy