SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પર અનેક પુસ્તક લખી તથા મવાદિ સ્મૃતિઓમાં નવિન શકે છુસાડી સતિ થવાને, યજ્ઞ અને શ્રાદ્ધના નિમિત્તે ગાય, બકરાં, મિંઢાં, દેડકાં, અશ્વ અને તે પણ અધું હોય તેમ છેવટ મનુષ્યોને પણ શલ સિવાય ગળું દાબી શ્વાસ બંધ કરી અકળાવીને જબરજસ્તીથી દુરપણે મારી તેનું માંસ પુરૂષ સુક્તા મંત્રથી સન ( પાણુ છાંટી) કરી ખાવાને, મા પીવાને, યજમાન પત્નિ ભેગવવાને, વિગેરે વિગેરે પશુન્ય પ્રવૃત્તિને અનુસરતાં તો આર્ય ધર્મમાં મિશ્રણ કરવાની વિધિ ચલાવ્યું ! સુધારાના શિખરે પહોંચેલા આર્ય લેકે ન્યાયકળામાં પ્રવિણ અને ભૂત ૧. મન્વાદિ સ્મૃતિઓમાં હિંસાસૂચક કલેક ઘુસાડયા છે, પરંતુ તેજ ગ્રંથોમાં અન્ય સ્થળે આ ભ્રષ્ટ કર્મને નિષેધ દર્શક અનેક શ્લોક પણ મળી આવે છે; તેનું પણ આ સ્વાથીઓને ભાન રહેલું નથી ! ! ! આવી રીતે ક્ષેપક મિશ્રણથી ગ્રંથને દુષિત કરવાનું કામ આજદિન સુધી પણ ચાલુજ છે એમ કહીશું તો ખોટું કહેવાશે નહિ. આશરે ૩૫-૪૦ વર્ષ ઉપર કૃષ્ણજી સાઠે નામના એક ચિત્તપાવન બ્રાહ્મણે પરાશર સ્મૃતિની કેટલીક હસ્ત લિખિત પ્રતો મેળવી, જેમાંની એક પ્રત મુંબાઈ નિવાસી છે. શા. સં. બાબા પાઠક ઉપાધેની હતી, તેમાં કેટલાક કલ્પિત લોક ૧૨મા અધ્યાયના બ્રહ્મનિરૂપણ પ્રકરણમાં ઘુસાડ્યા; અને તે અધ્યાયના અથથી ઇતિ સુધીના બધા આંકડા પણું ફેરવી નાંખ્યા ! એટલું જ નહિ પણ જગ્યા ન મળવાથી બાજુપર કેટલાક લેક ચરણ લખી તે મુજબ મુંબાઈના પ્રખ્યાત પંચાંગ છાપનાર શ્રીધર શિવલાલ મારવાડીના “જ્ઞાનસાગર' છાપખાનામાં હજારો પ્રતે છપાવી. અને પછી તે મૂળ પ્રત ગુપચુપ પાછી તેના માલિકને આપી દીધી. આ વાત વાંચકોના ધ્યાનમાં આવવાથી તેમણે એ પ્રકરણ કેર્ટ સુધી લઇ જવાની તૈયારી કરી, પરંતુ કેટલાક સારા ગૃહસ્થોએ વચ્ચમાં યડી એ ટંટે પતાવ્યા! ! જે પ્રક્ષીત કહોકે ઘુસાડયા હતા તે નીચે પ્રમાણે હતાकोकणाश्वित पूर्णास्ते चितपावन संशकाः । ब्राह्मणेषुच सर्वेषु यतस्ते उत्तमामताः ।। यतेषां वंशनाः सर्वे यज्ञेया वाह्मणाः खलुा माध्यादिनाश्च देशस्था गौड द्राविड गुर्जराः॥ वुर्णाहा तैलंगाद्यापि चितपूर्णस्य वंशजाः । अतःश्चितस्मपूर्ण यो निंद्यात्तस्य क्षयोभवेत्।। ' અર્થાત-ચિત્તપાવન એ સર્વ બ્રાહ્મણેમાં શ્રેષ્ઠ હોઈ ગેડ, દ્રવિડ, ગુર્જર, દેશસ્થ વિગેરે સર્વ બ્રાહ્મણે આ ચિતયાવનના વંશજ છે. ચિતપાવનની નિંદા કરનાર કરાવનારને ક્ષય થશે ? જરાજાએ બનાવેલા સંજીવની ઇતિહાસમાં લખ્યું છે કે વ્યાસજી અને તેમના શિષ્યએ મળ કશ હજાર લોનું ભારત બનાવેલું હતું. હાલ તો તે વધીને ૫૮૨૬ કલાકનું થયું છે. જ્યાં દશ હજાર અને કર્મા ૯૫૮૨૬ !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy