SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ યજુર્વેદ છે તેજ મૂળ ૮૦ અ યાયને ખરો યજુર્વેદ છે. અને તૈત્તિરીય એ યજુર્વેદ નથી, માટે જ તેને કૃષ્ણ ( કાળો–રાત્રીના જેવો–અજ્ઞાનરૂપી અંધકારથી ભરેલો ) અને ઓકારી કાઢેલો એટલે ઉચ્છિષ્ટ-ગૃહણ ન કરવા યોગ્ય કહેલો છે. તેની રચના પણ દાદિ ચાર વેદ વિરુદ્ધ છે. ચારે વેદમાં સંહિતા એટલે મંત્ર તથા સ્તોત્ર અને બ્રાહ્મણ એટલે કર્મ તથા પ્રયાગ એ સ્પષ્ટ અને જુદા જુદા છે, ત્યારે આ તૈત્તિરીય વેદમાં મંત્ર, સ્તોત્ર, કર્મ, અર્થ, વાદ, પ્રયોગ વિધિ એ સર્વની એકત્ર ખીચડી છે! એટલું જ નહિ પણ કલોપનિષત; તૈત્તિરીય બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદુ; યુપલક્ષણ, છાગલક્ષણપ્રતિજ્ઞા. અનુધાક સંખ્યા, ચરણબુડ, શ્રાધક૫, પાર્શ૬, ઋગ્યષી, ઈષ્ટકાપુરણ, પ્રવરાયાય, ઉકથશાસ્ત્ર, ક્રતુસંખ્યા, નિગમ, યજ્ઞપાશ્વ, હાટક, પ્રસવોત્થાન, કુર્મલક્ષણ એવાં ૧૮ પરિશિષ્ટો આ વેદના ગ્રંથ ભાગ છે તે સર્વની શુદ્ધ અર્વાચીન ભાષા છે. એ પરિશિષ્ટમાં લખ્યું છે કે યજુર્વેદમાં ૧૮૦૦૦ સ્તોત્ર તથા કર્મ છે તે સર્વ પાઠ કરવા. હવે એને ૧૮૦૦૦ સ્તોત્ર કર્મ કહ્યાં છે તેમાં સ્તોત્ર અમુક, અમુક પ્રકારનાં અને કર્મ અમુક, અમુક પ્રકારનાં એવો કોઈજ ઉલ્લેખ નથી. તેમને ઓળખવા માટે કાંઈ ચિન્હ પણ બતાવ્યું નથી. મંચને કર્મ અને કર્મને મંત્ર આ પ્રમાણે જેને જેવું શીખવ્યું હશે તે તેવું કહે છે! આ પ્રમાણે તમાં સર્વ ગડબડાદયાય છે. મૂળ ખરો યજવે દ જેની સાંપ્રત શુકલ યજુર્વેદ સંજ્ઞા છે, તેની મંત્ર સંખ્યા ૧૦૦૦ ગણેલી છે, અને ઋગવિદાદિ પ્રમાણે તે ઉપલબ્ધ અને પ્રસિદ્ધ છે; તેવી રીતે આ તૈત્તિરીય વેદની મંત્ર સંખ્યા ગણેલી નથી તેથી તેમાં મંત્ર કર્મની ખીચડી છે અને તે પણ સર્વે ઉપલબ્ધ નથી. હાલમાં આ બીચડી થોડી થોડી છપાઈ બહાર પડવા લાગી છે. સહુથી વિશેષ ધ્યાન આપવા જોગ તે આ વાત છે કે-“ ત્ર તા તિ” “ વનાર ” સામજ્ઞાતા” અને “અથર્વવેન ગ્રહણ” આ પ્રમાણે હતા, અને દવર્યું, ઉગાતા અને બ્રહ્યા એવા વેદાદિ અનુક્રમ પ્રત્યેક વેદના ૪ પુરોહિત યજ્ઞમાં જોઈએ, અને તેમણે પોતપોતાના વેદોક્ત મંત્રોચ્ચારાદિ વિધિ કરવો એવી વેદાન્ના છે. તે પ્રમાણે પહેલાં હરિશ્ચંદ્ર રાજાએ યજ્ઞ કર્યો તેમાં વિશ્વામિત્ર, જમદગ્નિ, અગસ્ત અને વાશિષ્ટ; યુદ્ધિષ્ઠિર રાજાએ રાજસૂય યજ્ઞ કર્યો તેમાં યાજ્ઞવલય, વશિષ્ટ, બ્રહ્મદેવ અને વ્યાસ એ ચાર પુરોહિત હતા. આમ દરેક યજ્ઞમાં જુદા જુદા વેદના જુદા જુદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy