SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સુધારે કરી, નવનવિન હુન્નરકળાને વધારે કરી દેશ પરદેશમાં જઈ વેપારાદિથી દેશમાં સંપત્તિને વધારે કરતા. ૧૨. સેવા–આ કામ શુદ્રોનું જ છે. રસાઈ કરવાનું, કપડાં ધોવાનું, હજામત કરવાનું, કપડાં શીવવાનું, પશુપક્ષી સાચવવાનું, વિગેરે મહેનતનું કામ કરી ત્રીવર્ણની સેવા કરવી તે. ઉપાસના એટલે ભક્તિ. અમુક માણસની અમુક પદાર્થ અથવા માણસ ઉપર પુષ્કળ ભક્તિ છે, એમ કહેવામાં આવે તો ભક્તિને અર્થ વિશ્વાસ, પૂજ્યભાવ અથવા પ્રીતિ એવો થાય છે. વેદમાં ભક્તિ શબ્દ વપરાયલ જણાતાં નથી, પણ તેને બદલે ઉપાસના શબ્દ વપરાય છે. ભકિત શબ્દને અર્થ વ્યુત્પત્તિ દષ્ટિએ જોઈએ તો “ભજન શીલત્વ” થાય છે. શાંડિલ્ય સત્રકારે ભકિત શબ્દની મિમાંસા કરતાં કથા મા વિશારા” એવું પ્રથમ સત્ર મુકી “સાપનુ ષ્ય ” એ સુત્ર મૂકયું છે. ટીકાકારોએ પરા શબ્દની વ્યાખ્યા બે ત્રણ પ્રકારે કરી છે, પરંતુ ઈશ્વર પ્રત્યે Her એટલે અત્યંત અનુરકિત યાને પ્રીતિ તેનું નામ ભકિત १. वसन्वा यत्र तत्रापि स्वाचारं न विवर्जयेत् (પારાશર સ્મૃતિ ૧-૪૭). બ્રાહ્મણ પિતે ગમે તે દેશમાં રહે, પણ પિતાનો આચાર તેણે તજવો નહિ. वणिग्यथा समुद्रा द्वै यथार्थ लभते धनम् | ( શાંતિપર્વ અધ્યાય ૨૯૯). વેપારી લોકો સમુદ્રયાત્રા કરી ધનપાર્જન કરતા હતા” રાકં ઈઝ દ્વારા . (યજી ૬-૨૧) સમુદ્રની યાત્રા કર અને સુંદર વચન બોલ.” मनो निविष्ट मनु संविशस्व यत्र भूमेर्जुषसे तत्र गच्छ॥ (અથર્વ. વ. કાં. ૧૮ સુ, ૩). “હે મનુષ્ય ! જ્યાં તારી ઈચ્છા હોય ત્યાં તે ખુશીથી જ, કારણ કે આ સઘળી પૃથ્વી તારે રહેવા માટે છે.” દક્ષિણ અમેરિકાના પેરૂ પ્રાંતમાં એક સૂર્ય મંદિર છે તેને આકાર દતિયા સ્ટેટના ઉનાવા ગામના સૂર્ય મંદિરને બીલકુલ મળ છે. વળી આ દેશમાં રામચંદ્રજીને મહિમા પણ પ્રચલિત છે. જાવામાંથી પણ વદની પ્રત મળી છે. આ ઉપરથી વેદકાળમાં આ દેશ પરદેશમાં જતા હતા એ નિશ્ચય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy