SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર સાધર્મિક ભક્તિ વિગેરે શાશન પ્રભાવનાના કાર્યો સ્થાનિક શ્રી સંઘના કાર્યવાહકની સહાયથી અપૂર્વ દીપી નીકળ્યા હતા. દેવદ્રવ્ય, તથા જ્ઞાન દ્રવ્યની ઉપજ પણ સારી થઈ હતી. નવસારી શ્રી સંઘના આગેવાનોને આ ભગવતિ સૂત્રના વ્યાખ્યાનો છપાવવા માટે મેં તથા મુનિ શ્રી મનોજ્ઞસાગરજીએ હકીકત જણાવી. તેઓએ પણ તે વાત સહર્ષ વધાવી લઈ રૂા. ૭૫૧) અંકે સાતસે એકાવન આપવા જણાવ્યું. ખુટતી રકમની બીજી સગવડતા ઉતારીશું તેમ ધારી શ્રી ભાવતિ સૂત્રની દેશનાએ છાપવાનું કામ ચાલુ કરાવવા માટે શ્રી પન્યાસજી મહારાજને વિનંતિ કરી. મારા ગુરૂમહારાજશ્રીજીના અવતરણની કેપી ઉપરથી શુદ્ધ પ્રેસ કેપી મુનિમહારાજ શ્રી કંચનવિજયજી મહારાજ તથા શ્રીલધિસાગરજી મહારાજે કરાવી હતી, તે પ્રેસ કે પીને ઉપગ સુધારા વધારા સાથે કરવામાં આવ્યું છે. દેશના દાતા પરમ પૂજય પરમોપકારી આગધ્ધારક, શાશનદીનાકર, આચાર્ય મહારાજ સાહેબ શ્રી સાગરાન-દસૂરીશ્વરજીએ પિતાની પ્રતિભાશાલિ અપૂર્વ શિલીથી, પુગલ વિષયક સ્પષ્ટીકરણ સુંદર દષ્ટાંત દાખલા દલીલે યુકિત પ્રયુકિતથી કરેલ છે, જે વાચકવૃંદ સ્વયં વાંચીને જ તેમની પ્રતિભાનો ખ્યાલ કરી લે. તેમની જ્ઞાન શકિત જેનોમાં પ્રસિદ્ધ પામેલી છે, એટલું જ નહિ પરંતુ જેનેતર પણ મુકત કંઠે પ્રશંસાના પુપે વેરે છે. જામનગર શહેરમાં સંવત ૧૯૯૧ ની સાલમાં વ્યાખ્યાનમાં શ્રી ભગવતી સૂત્ર પૂજ્ય શ્રી આચાર્ય મહારાજે વાંચેલ, તેના અવતરણે પણ મારા ગુરૂ મહારાજશ્રીએ કરેલા હતા. તેની પ્રેસ કોપી કરાવી પિતે યોગ્ય સુધારા વધારો કરી પાઠ સ્થળોએ મૂળ પાઠ વિગેરે ગોઠવી તૈયાર કર્યા હતા. તે વ્યાખ્યાનો પણ હાલ જયન્ત મેટલ કાં.વાળા દાનવીર શેઠ ચીમનલાલ ડાહ્યાભાઈની સંપૂર્ણ આર્થીક સહાયથી પંન્યાસજી મહારાજ શ્રી ચંદ્રસાગરજી મહારાજની નજર તળે છપાઈ રહ્યા છે, જે ટુંક સમયમાં પ્રસિધ્ધ થશે. આનંદસુધાસિબ્ધ, શ્રી સિદ્ધચકમહાતમ્ય, પર્વ દેશનામાં છપાયેલ વ્યાખ્યાનો તેમજ શ્રી સિદ્ધચક પાક્ષીક અને માસિકમાં આવેલા શરૂઆતથી અત્યાર સુધીના વ્યાખ્યાન છપાયા છે, તે લગભગ ઘણું મારા ગુરૂ મહારાજ પન્યાસજી હેમસાગરજી ગણના પિતાના હસ્તના અવતરણેજ છે. વળી પોતે બીજા પણ ઘણું આચાર્ય મહારાજશ્રીના વ્યાખ્યાનેના અવતરણને જથ્થ શુદ્ધ કરાવી પ્રેસ કોપીઓ બનાવી તૈયાર કરેલાં છે. જેમ જેમ આથીક સહાયતા મળતી રહેશે તેમ તેમ આગમદ્વારકની અમોઘ દેશના પ્રસિદ્ધ કરવામાં આવશે. આવા અપૂર્વ વ્યાખ્યાન રસિકોને જે પિતા તરફથી પ્રગટ કરાવવાની ઈચ્છા હશે તે હમે તેઓને વ્યાખ્યાનને સંગ્રહ જોઈએ તેટલે પુરે પાડીશું. આ દેશનાના પ્રફો તપાસવામાં પરમ પૂજ્ય પરમપકારી વર્ધમાનતપિનિષ્ણાત પ્રખર વ્યાખ્યાતા પન્યાસજી મહારાજ શ્રી ચંદ્રસાગરજી મહારાજ પિતાને વ્યાખ્યાન આદિ વ્યવસાય હેવા છતાં સમય બચાવી મુફ શુદ્ધિ કરી આપેલ છે, તેમજ મુનિશ્રી દે લતસાગરજી મહારાજ શ્રીએ શુદ્ધિપત્રકાદિ કાર્યો કરી આપવામાં મદદ કરી છે. જેથી ઘણું ટુંક સમયમાં આ પુસ્તક બહાર પ્રસિદ્ધ કરી શક્યા છીએ. આ પુસ્તક વાંચન કરનાર મહાશયને પ્રથમ શુદ્ધિપત્રકના આધારે શુદ્ધ કરી વાંચવા ભલામણ છે. તેમજ કેટલીક જગેપર અનુસ્વાર, રેફ. કાના વિગેરે ઉડી ગયા હોય, ત્યાં તે ઉમેરીને વાંચવું. તેમજ ૬, ૬, ૬ ની શુદ્ધિ પણ યથાયોગ્ય સમજી લેવી. વેજલપુર [પંચમહાલ] લિ. સં. ૨૦૦૫ આસો સુદી ૧ મુનિશ્રી અમરેન્દ્રસાગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy