SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪] બીઅમોધ-દેશના-સંગ્રહ વાત ખરી છે, પણ સુંદરતા માત્ર બાહ્ય ત્વચા (ચામડી)ની છે. અંદર તે સર્વોપમા જ ભરેલું છે. શ્રીમલિનાથ તરફથી પૂતળીના પ્રગથી રાજાઓને એમ સમજાવવામાં આવ્યું કે “પૂતળીમાં જે છે તેવું જ આ સુંદર દેખાતા શરીરમાં ભર્યું છે.” એ છે રાજાઓને વૈરાગ્ય થયું. ત્યારે શ્રીમલ્લિનાથે ભવાંતરને સંબંધ કહી તેમને વિશેષતઃ જાગૃત કર્યા. મહાબલના ભાવમાં, બધા સાથે દીક્ષિત હતા, તપસ્વી હતા તેનું સ્મરણ કરાવ્યું. અનુત્તરમાં જયંત વિમાનમાંની ૩૪ સાગરોપમની સ્થિતિનું પણ સ્મરણ કરાવ્યું. પૂર્વને સાથે સંબંધ યાદ કરાવ્ય શ્રીમલિનાથે કહ્યું-“જયંત વિમાનમાં તે વીતરાગ પ્રાયઃપણું હતું, અને અહીં સ્ત્રી માટે લઢવા નીકળી પડ્યા છે ?છએ રાજાએ દીક્ષા લેવા નિર્ણય કર્યો. મહાબલના ભાવમાં પણ બધાએ સરખી ક્રિયા કરવી એમ જ હતું, એ રીતે અહીં પણ શ્રીમલિલનાથ કરે તેમ કરવું એ તેઓએ, પૂર્વભવના સાથીઓએ નિર્ણય કરી લીધું. પેલી પૂતળી જડ હતી, તેમાં જીવ નહતો એટલે તેમાં પડેલા રોજ કેળીઆના પગલે શરીરપણે ન પરિણમ્યા. આપણું આ શરીરમાં જીવ રહ્યું હોવાથી, જીવવાળા આ શરીરમાં પડતા પુદ્ગલે શરીરપણે પરિણમે છે. જીવે શરીર, મન, ભાષા શ્વાસોશ્વાસપણે જે પરિણુમાવ્યા તે પ્રયોગ પરિણત કહેવાય. પૃથ્વીકાય પિતાનું શરીર પૃથ્વીકાયપણે પરિ. ગુમાવે છે. પરંતુ તેમાંથી જીવ ગયા પછી તેના થાંભલે, પાટડો બન્યા તે બધા મિશ્ર પરિણામે પરિણામેલા છે. જેને પરિણમાવ્યા તેના ઉપર પ્રવેગ થાય ત્યાં મિશ્ર પરિણમા કહેવાય. જગમાં મિશ્ર પરિણામવાળા પુગેલો ઘણું છે. સર્વ પુદગલે મિશ્રપણે જ પરિણમેલા છે. જેટલા પુદ્ગલે દેખાય છે તે ઔદારિક વગણમાં આવ્યા એટલે તેને જીવે પિતાપણે પરિગુમાવ્યા. પ્રયોગથી જે પરિણમેલા છે તેને સ્વભાવ પલટે આપે છે. મીઠું વગેરે પ્રયત્નથી થયેલું સ્વરૂપ છે. જીવે પ્રયત્નથી કરેલી અવસ્થા ખસે નહિ. બીજા સ્વભાવને પામે તે મિશ્ર પરિણામવાળા ગણાય. જીવે શરીર ધારણ કર્યું, એટલે કહે કે પુદ્ગલેને શરીરરૂપે પરિણુમાવ્યું. જીવ ગયે, મડદુ રહ્યું તેમાં થતો પરિણામ તે પ્રવેગ પરિણામ. સ્વભાવે બીજુ રૂપ બને તે મિશ્ર પરિણામ અને તેના અંગે વિશેષ અધિકાર અગ્રે વર્તમાન– ટકા , S Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy