SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ -- - - - - [૨૮]. શ્રી અમેધ-દેશના-સંગ્રહ સારી જઠરા વખતે જે ખેરાક પચે છે તે જ ખરાક, જઠરા બગડતાં વિકાર કરે છે. અપચો થાય છે, ઝાડા થાય છે, તાવ આવે છે. કાયયેશદ્વારા જ પુદ્ગલનું પરિણમન છે. જે ખેરાક શરીર, હાડકાં, માંસાદિક રૂપે પરિણમે છે, તે પરિણુમાવનાર કાયવેગ સિવાય કોઈ બીજે નથી. પુદગલે પરિણમન શક્તિ વગરના છે એમ નથી. જે એમ હેત તો આપણું શરીર બંધાત જ નડિ. જેવા સગે, જેના કારણે તેવા તેવા રૂપે પરિણમન થાય છે. ભાષા પણ એક પુદ્ગલનું પરિણામ છે, એમ આજકાલના કેળવાયેલાઓ પણ સમજી શકે છે. નૈયાયિક વેશેષિકોએ શબ્દને આકાશને ગુણ માન્ય છે, પણ “રાળમાાસા' એ જુદું છે, અને એ આજે વિજ્ઞાન પણ સિદ્ધ કરે છે. ભાષા વર્ગના પુગલ ભાષા રૂપે પરિણમે છે. જે સમયે રસનું જ્ઞાન થાય, તે સમયે ગંધનું જ્ઞાન થઈ શકે નહિ. એક વખતે એક વિષયનું જ્ઞાન થાય. ઘણા વિષયો જોવાય ભલે, પણ જ્ઞાન એકી સાથે ન થાય. મન એકજ ઇંદ્રિયની સાથે જોડાય છે. કાયા, ભાષા તથા મનની પરિણતિ જવના પ્રયત્નને આધીન છે. સમિતિ-ષ્ટિની સુંદર-વિચારણા પ્રયોગ-પરિકૃતિ પ્રાગદ્વાર હોય. જિતશત્રુ નામના રાજાને સુબુદ્ધિ નામને શ્રાવક પ્રધાન છે. રાજા મિથ્યાત્વી છે, અને પુગલના સ્વરૂપથી અજ્ઞાન છે. પ્રધાન વિચાર કરે છે કે –“વહેતી નદી ભલે સૂકાઈ જાય તે પણ બે બાજુના ખેતરને તો લીલાં રાખે છે” “ચંદનનું વૃક્ષ એક જ જગ્યાએ હોય તે પણ સુગધ તે તરફ ફેલાવે છે” તે પછી હું સમ્યગદષ્ટિ પ્રધાન હોવા છતાં રાજાની દૃષ્ટિ આવી કેમ રહે?, જે તેમ થાય તો પછી મિથ્યાષ્ટિ પ્રધાનમાં અને મારામાં ફરક છે?,” તમારાં વારસાને તમે વારસો શાને આપવાના? કૂકાને, અને રેડાને. એ વારસો તે મિથ્યાત્વી માબાપ પણ આપે છે. સમ્યગ્દષ્ટિને કરે ભાગ્યશાળી શાથી?, કુકાની કોથળીઓ તથા રેડાનાં ઊભા કરેલાં મકાનેને વારસ તે મિથ્યાત્વીઓ પણ આપે છે. એક ચન્દનું વૃક્ષ આખા બાગને સુવાસિત બનાવે છે, એક નદી પિતાના પ્રવાહથી આખા જીલ્લાને લીલે રાખે છે; તેમ એક સમ્યગ્દષ્ટિ આત્મા આખા કુલને ધમી બનાવે છે. તમે જે તમારાં બાળકને સમ્યકત્વને વારસો ન આપો, પણ માત્ર કૂકા અને રેડાં જ આપે તે પછી મિથ્યાત્વમાં તથા તમારામાં ફરકશે?, અંતરાય–આડ (અડચણ) ધરાવનારને છે. અહીંથી દશ જણું આંતરસુબા ગયા, તેમાં માને કે બે મુસલમાન છે, બધાને તરસ લાગી, તેમાં તમારે ઘર પૂછવું પડે, શું મુસલમાને ઘર પૂછવાની જરૂર ખરી ?, ના. હજી મુસલમાન માટે તે સુવરના સ્પર્શવાળું પણ અગ્રાહ્ય છે, એટલી પણ આડ ખરી; પણ ઢેર (પશુ) ને કાંઈ આડ છે?, જેમ આડ વધારે તેમ અંતરાય વધારે. સુબુદ્ધિ પ્રધાન આ બધી વિચારણા મુજબ હૃદયમાં વિચારે છે કેઃ “હું સમકિતી છું, આશ્રવ, સંવરને વિચારનારો છું, પણ મિથ્યા-દષ્ટિને, અને નાસ્તિકને એ વિચારણની જરૂર નથી, સમકિતીએ તે પર ભવન, પાપને અને દુર્ગતિના ભયને વિચાર કરવાનું રહ્યું. દુન્યવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy