SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ૭. છે પુદગલ-પરિણામના ત્રણ પ્રકાર છે. कइविह। णं भंते ! पोग्गला पन्नत्ता ?, गोयमा ! तिविहा पोगला पन्नत्ता, तं जहा કાયા, ભાષા તથા મનની પરિણતિ જીવન પ્રત્યનથી છે. ગણધર ભગવાન શ્રીમાન સુધર્માસ્વામીજીએ શાસનની પ્રવૃત્તિ માટે, દ્વાદશાંગીમાં પંચમાંગ શ્રીભગવતીજી જે શ્રીતમસ્વામીની વાંચનાનું હતું તે કાયમ રાખ્યું. શ્રીજ્ઞાતાજી વગેરે પિતાનાં રાખ્યાં. ભગવાન શ્રી મહાવીરદેવના અગીયાર ગણધરો હતા. તેમાંથી દશ ગણધરે કાલધર્મ પામતી વખતે પિતાની શિષ્ય પરંપરા, દ્વાદશાંગી વિગેરે સર્વ શ્રીસુધર્માસ્મામીજીને સેંપતા ગયા, અને તે મેલે ગયા. जे इमे अन्जताए समणा निमाथा विहरंति, एए णं सव्वे अजसुहम्मस्स अणगारस्स બાવત્તિજ્ઞા છે ( ૪૫ચા૮-જૂ ૪ ) વર્તમાનકાલમાં આચાર્યાદિ જે શ્રમણ નિર્ચ થે વિચરે છે તેઓ શ્રીસુધર્માસ્વામીજીની પરંપરાના છે. બીજા ગણધરોને શિષ્ય તે હતા, પણ તે તે ગણધરે તે કાલ કરતી વખતે-મુક્તિ ગમન સમયે, પિતાના ગણને, પોતાના શિષ્યાદિ સર્વ પરિવારને, શ્રીસુધર્માસ્વામીજીને સંપતા ગયા કેટલાક પરંપરા વગરના પણ મોક્ષે ગયા. શ્રી ભગવતીજી સૂત્ર શ્રીગૌતમસ્વામીજીના નામનું જ રાખવામાં આવ્યું છે. આમાં આઠમા શતકને પ્રથમ ઉદ્દેશ ચાલે છે. “પુદગલ’ એવા એક જ શબ્દ-પદ માત્રથી પદને સમુદાય લેવાનો છે. “ભીમ કહેવાથી જેમ “ભીમસેન' સમજી લેવાય, તેમ “પુદગલ” પર માત્રથી પુદ્ગલના ત્રણ પ્રકારના પરિણામ પણ લેવાના છે. સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ એ ભેદ અહીં નથી લેવાના, એટલે ચાર પ્રકાર અહીં લેવાના નથી. એક પદમાં પદના સમુદાયને ઉપચાર કરવાનું છે. પુદગલે કેટલા પ્રકારે પરિણમે છે?, એ વિષયક અહીં પ્રશ્ન છે. કેટલાક પુદગલે સ્વભાવે પરિણમે છે, કેટલાક પુદ્ગલે પગે પરિણમે છે, અને કેટલાક પુદ્ગલ ઉભય રીતિએ પરિણમે છે. આ શરીર જઠરામાં તાકાત હોય, ત્યારે ખેરાક પરિણમાવી શકે છે, અને એ ખેરાક રસ રૂપે, શરીર રૂપે, પછી માંસ, હડ, રૂધિર રૂપે પરિણમે છે. સંગ્રહણીવાળા ખેરાક લે છે, પણ તે ખેરાકનું પરિણમન થતું નથી. જેની જઠરમાં તાકાત હોય તેનું ખાધેલું બધું પરિણમે છે, નબળી જઠરાવાલાને પરિણમતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy