SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના-૬. ભર પર્ષદામાં, શ્રીતમસ્વામીજીએ કરેલા પ્રશ્નોના, ભગવાન મહાવીર મડારાજાએ આપેલા ઉત્તરના આ મહાન કલ્યાણકારી સૂત્રનું અષ્ટમ શતક છે. આ શતકની ઉત્પત્તિ રાજગૃહી નગરીમાં છે. ચાર પ્રકારના સિદ્ધાન્તનું સ્વરૂપ. ધર્માસ્તિકાયાદિ અસ્તિત્વને પ્રતિપાદક સ્વતંત્ર સિદ્ધાંત જૈન સિદ્ધાંત છે, એટલે તે સ્વતંત્રપ્રતિતત્ર સિદ્ધાંત. બીજે સર્વતંત્ર સિદ્ધાંત. “પૃથ્વી આદિ પાંચ છે તે સર્વતંત્ર-સિદ્ધાંત. નાસ્તિક જ આ ન માને તે પણ પૃથ્વી, પાણી અગ્નિ, વાયુ આ ચાર તે બધા માને માટે તે, સર્વતંત્ર સિદ્ધાંત. ત્રીજે અભ્યપગમ સિધ્ધાંત. જે વાત માનતા ન હોઈ એ પણ ઓળખી હોય, “માને કે આમ છે, એમ હોય” એમ કહેવાથી પરીક્ષા માટે જે માન્યું તે અભ્યપગમ સિધ્ધાંત. ક્ષણવાર માટે, ઘડીવાર માટે માની લીધું માટે ગળે વળગ્યું એમ નહિ. ઇશ્વરને બીજાઓ કર્તા હર્તા, સુખ દુઃખ દેનાર માને છે. જેનો તેમ નથી માનતા. મેત દેનાર ઈશ્વર, મેત તે ખાટકી આપે !; બધી પ્રેરણા ઈશ્વરની, તે પછી કેઈએ બકરી મારી તેમાં મારનારને શું વાંક? એ તે બિચારો રાંક છે, પ્રેરણાવશાત્ કરે છે, ગુન્હેગાર તે પ્રેરક ઈશ્વર જ ને! જડજના હુકમથી ફાંસી દેનાર જલ્લાદને ગુને શે? જ૯લાદ ખૂની ગણાય? ઈશ્વરને કર્તા હર્તા માનીએ તે તમામની જવાબદારી, જોખમદારી ઈશ્વરના શિરે જ વળગે છે. તાત્પર્ય કે જેને ઈશ્વરને કર્તા હર્તા તરીકે માનતા નથી પણ ઈતરો માને છે એટલે વાતચીત દરમ્યાન શાસ્ત્રાર્થ દરમ્યાન, પ્રસંગે, પરીક્ષા માટે, નિર્ણય માટે ઘડીભર ઈશ્વરને તે માનવે એ અભ્યગમ સિધ્ધાંત. એ અધિકરણ સિધ્ધાંત જે વાત કથનમાં ન હોય, વાક્યમાં શબ્દથી ન હેય, ન ક્રિયાપદથી કે ન નામથી, ન વિશેષણથી, ન વિશેષ્યથી હેય છતાં તે માનવી પડે, કબૂલવી પડે, તેને અમલ થાય તે અધિકરણ સિદ્ધાંત એક માણસને અરધે. મણ દહીં લાવવાનું કહેવામાં આવ્યું. વાકય શું? “ભાઈ! અરધે મણ દહીં લાવ.” આ વાકયાનુસાર તે અરધા મણ દડનું મટકું લઈ આ વાક્યમાં ભાજનની, પાત્રની, મટકાની વાત (આ) હતીજ કયાં?, દહીં લાવવાના સૂચન સાથે ભાજનનું સૂચન આપોઆપ થઈ જ જાય છે. એ અધિકરણ સિદ્ધાંત '( રૂ૪૦ છો. ૨) હવે મને “હે ગેચમ!' કણ કહેશે? એવા કેડ ૮૫ વર્ષની વયે! શ્રી ગૌતમસ્વામીજીએ જોયું કે એક મુખ્ય વાતના નિરાકરણ વગર આગળ કેમ વધી શકાય? પુદગલ પરિણામને નિર્ણય પ્રથમ જરૂરી છે. પુદ્ગલને અંગે પ્રશ્ન કેણુ કરી. શકે? જગતને મિથ્યા (શૂન્ય) માનનાર, ઇમેવ કહ; મૌનનાર એવો પ્રશ્ન શી રીતે કરે ? પગલ, તેના પ્રકાર પરિણામને માને તે જ તેને અંગે કરી શકે. અધિકરણ સિદ્ધાંતથી શૂન્યવાદ અમાન્ય છે. પ્રત્યક્ષથી, અનુમાનથી જે નિશ્ચિત થાય છે યાવત્ આગમ પ્રમાણુથી જે १ सिद्धान्तस्तु चतुभेदःस्वतन्त्रादिभेदतः ।। - - - - - - - - - --—* Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy