SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના-૧. " [૨૩]. તે ભગવાન ઉદયન રાજાને દીક્ષા આપવા ગયા છે, પણ ત્યાં ચાતુર્માસ નથી કર્યું. એટલા માત્રથી ત્યાં ગયાની વાતને ખાટી કેમ કહેવાય?, કલિકાલસર્વજ્ઞ-શ્રીહેમચંદ્રસૂરીજીના તીર્થ માલા આદિનાં કથન તે સત્ય જ છે, એમ સમજવું જોઈએ. અત્યારે પણ કેટલાક સાધુએ રતલામ પાલી તરફથી શિખરજી જઈ પાછા આવી ચાતુર્માસ પાછું માળવામાં કરી શકે છે. અત્યારે પણ આમ બની શકે છે, તે પછી તે કાલ માટે જ્યાં ભગવાન ગયા આવ્યા હોય ત્યાં ચોમાસું કર્યું હોય એવી કલ્પના કરી લેવી યુક્ત નથી. મગધ દેશના કેન્દ્ર રૂપ (ધર્મ દષ્ટિએ) રાજગૃહી નગરીમાં ( આ નગરી ધર્મિષ્ઠ, ધર્મપ્રેમીઓ માટે કેન્દ્રરૂપ હતી) આ આઠમા શતકનું નિરૂપણ શ્રી મહાવીર મહારાજાએ પિતે જ કર્યું હતું. વકતાનું વકતવ્ય શ્રોતાની પરિણતિને, અને યોગ્યતાને આધીન છે. ન્હાના બાલક પાસે કેટલી વાર “ભૂ' શબ્દ બેલાય છે?, “ભૂ” શબ્દ કાંઈ એ છેક નથી બે, એ બાલક નથી બન્યું, આપણે બેલ્યા છીએ. કારણ કે આપણે માનીએ છીએ કે એ બાલક “ભૂ’ શબ્દથી સમજવાનું છે, પણ “પા” શબ્દથી સમજવાનું નથી. તે જ રીતિએ એક વસ્તુ ધર્મ તરીકે ન પણ હોય, છતાં તેને કોઈને ધર્મના પગથાએ લાવવા માટે આગળ ધરવી પડે છે. સિદ્ધરાજને ધર્મ-વિષયક પ્રશ્ન. સિદ્ધરાજ જયસિંહે કલિકાલસર્વજ્ઞ–ભગવા–શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજને પૂછયું: “ભગવાન ! ધર્મ કયે કરે?, “બીજા દર્શનવાળાના ગુરુઓને પણ તેણે પૂછયું હતું, જેના જવાબમાં કોઈએ વેદાંત, કોઈએ શિવ, કેઈએ વૈષ્ણવ ધર્મ એમ સૌએ પિતાપિતાને ધર્મ બતાવ્યું હતું. અને હું પણ મહારા જૈનધર્મની જ પ્રથમ વાત કરીશ તે એ અમને માગે નહિ આવે' એવું વિચારી તેમણે તમામ ધર્મ આચરવાનું કહ્યું. આચાર્યશ્રીને હેતુ રાજાના ધર્મ શ્રેષને રિકવાને હતે. બધા ધર્મ આચરવા એ કથનમાં યે વિધાન તે જૈન ધર્મનું જ થયું. કેમકે રાજા જૈન ધર્મી નહેતે, ઈતર ધમાં હતે. ઇતર ધર્મની તે તેની આચારણા હતી જ. વળી વેદાંત, શિવ, વૈષ્ણવાદિ ધર્મ તરફ તે બીજાઓએ ધ્યાન ખેંચ્યું જ હતું. એટલે એનું ધ્યાન જૈન ધર્મ તરફ ખેંચવાનું હતું. બધા ધર્મ આચરવાનું કહીને આચાર્યશ્રીએ તત્કાલ તે એમ જ જણાવી દીધું કે માત્ર વેદાંત, શિવ, વૈષ્ણવ ધર્મ આચરવા એમ નહિ પણ જૈન ધર્મનું પણું આચરણ કરવું. આ રીતિએ તેમણે ઈતર રાજાને માર્ગમાં લાવના, જેમાં જૈન ધર્મનું વિધાન ગર્ભિત છે તેવું કથન “બધા ધર્મ આચરવા” એવું કહ્યું. એક માણસ બીજાને કહે છે કે, “મારે સાત પુત્ર છે તથા એક પુત્રી છે, આ મહારી સંતતિ છે.” હારે કોને આપવી આ પ્રશ્ન છે?, “હવે સ્પષ્ટ છે કે સાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy