SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ [૮]. શ્રી અમાલ - દેશન- સંગ્રહ --- - -- —-- ---- ...... ચંદ્રમાની સાથે મારા મુખને સરખાવે છે ? શું હું ચંદ્રમાની જેમ ઘટ વધ થયા કરું છું” વગેરે કહીને વહે ત્યારે જ તેણીને ચેન પડે. અહિંસા, સંયમના સંરક્ષણ માટે યાતના (પણ) આવશ્યક છે, અને તે જાણવા સમ્યકજ્ઞાન આવશ્યક છે. સીધી, સરલ અને સાદી વાત છે, જેને અભ્યાસ કરે નથી; તે તરત કહી દે છે –“આપણે અભ્યાસની કડાકૂટ કરવાની જરૂર નથી; જયણા પાળીશુ એટલે બસ ! “મહાનુભાવ! જયણાના સ્વરૂપને જાણ્યા સમજ્યા વિના જયણાનું પાલન બને શી રીતે ? જયણાના મુદ્દાને કહેવાયેલી વાતને જે જ્ઞાનના નિષેધાર્થ માં લઈ જાય, જે જ્ઞાનને કંઠશેષ માને તેને કહેવું શું? જીવ-અજીવથી લઈને યાવત્ મેક્ષ સુધીનું જ્ઞાન, માત્ર અયતના ટાળવા માટે, યતનાની ઉપયોગિતા જાણવા માટે છે. આ જીવ જ્યાં સુધી અયતના સર્વથા છેડનાર ન થાય, ચારિત્ર-મોહનીયાદિકર્મ ને સર્વથા નાશ કરનારો ન થાય, ત્યાં સુધી જ્ઞાનની આવશ્યકતા છે. વીતરાગ દશા ન આવે ત્યાં સુધી જયણે પાળવાની, અજય છોડવાની જરૂર છે. અને તે માટે જ્ઞાનની પણ જરૂર છે. એવું જ્ઞાન વારંવાર સ્મરણીય છે. વિના સ્મરણે વિદ્યા વિસરી જાય છે તે કહેવત પ્રચલિત છે. એ જ હેતુ પુરસ્સર જે વર્ણન સાતમા શતકમાં હતું તે જ વર્ણન આઠમા શતકમાં છે, જે શતકના દશ વિભાગ જવામાં આવ્યા છે. દેષને ટેપલે ભગવાનને શિર ! ગુરુ મહારાજા રÀથે તથા અન્યને આપવા માટે જે અંશે ભણવાને અધિકાર આપે તેવા વિભાગનાં નામ ઉદેશ છે. પહેલે વિભાગ, પુદ્ગલ વિભાગ છે. આ ઉદેશો છે પુદગલ નિરૂપણ માટે છે. શૂન્યવાદના ખંડન માટે આ વિભાગ નથી, એ ખંડન બીજે છે. “પુદ્ગલ જેવી ચીજ નથી' એવું કહેનારા જગતને ભરમાવનારા છે. પુદગલ (અછવ) સર્વકાલે હોય જ છે. શૂન્યવાદના ખંડનની અપેક્ષાએ અન્ય સ્થળે પુદ્ગલનું નિરૂપણ છે. અત્ર નિરૂપણ પુગલ-તત્ત્વની સ્થાપનાથે છે. કેઈ કદાચ શંકા યા પ્રશ્ન કરે કે - જ્ઞાન, દર્શન, ચારિત્રના નિરૂપણમાં તે જૈનપણાની જડ ખરી, વીતરાગપણના, સમ્યગદર્શનાદિના નિરૂપણમાં તે જૈનપણની જડ માની, પણ પુદગલ-નિરૂપણમાં જૈનત્વની જડ શી રીતે ?” સમાધાન-બરાબર રીતિએ સમજે. આ જગત સ્વભાવે પરિવર્તનશીલ છે. પુગલમાં સ્વભાવની વિચિત્રતાએ જગતનું પરિણામાન્તર થાય છે. પરિણમનની કહે કે પરિણામાન્તરની કહે, આ શક્તિ માનનાર. નિરૂપણ કરનાર કેવળ જૈન દર્શન છે. ઈતર વાતવાતમાં ઈશ્વરને વચ્ચે લાવે છે. ધન ચાલ્યું જાય, પુત્ર મરી જાય તે પરમેશ્વરે કર્યું ! ત્યારે તમારા પુણ્ય-પાપનું ફલ નથી જ ને ?, “આકારવાળી વસ્તુ પરમેશ્વરે બનાવી” કથનના પ્રત્યુત્તરમાં ભુલકે ઉપહાસ્ય કર્યું કે “વિષ્ટામાં આકાર કરવામાં શું પરમેશ્વરને પ્રવેશ છે? છ દ્વારા આકાર ફરે છે. વર્ણાદિક છથી ફરે છે. જેઓ પુદગલના પરિણામને સમજતા નથી. તેઓને જ પરમેશ્વર આમ કર્યું, પરમેશ્વરે તેમ કર્યું એમ કહેવું પડે છે. પુદ્ગલ-પરિણામાન્તર ન માને તેને ઈશ્વરને વચમાં ઘાલવો પડે. પુદ્ગલમાં ફેરફારને, પરિવર્તનને સ્વભાવ છે. લીલાનું લાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy