SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - .. ... તેના દુ:ખો [૦૯ પૂર્વના વૈરી જન્માન્તર શત્રુ અપકારી કેપ સહિત મોટા મોટા મગર કે સાંબેલા લઈને ગાઢ પ્રહારથી મર્દન કરે છે. શરણ વગરના તે પ્રહારથી જર્જરિત થઈ ગયું છે શરીર જેનું, એવા લેહીની ઉલટી કરતા ધરણી પર ઢળી પડે છે. વળી હાથ પગમાં લેઢાની બેડી, સાંકળ નાંખી ભુખ્યા રોદ્ર નિર્ભય શીયાળ, વાઘ, સીંહ પાસે મુકે છે, જેથી બીચારાનું ભક્ષણ થઈ જાય છે. આવી રીતે ત્રણ નારકીમાં પરમાધામીએ કરેલી, બીજીમાં પરસ્પર કરેલી, બધામાં ક્ષેત્રના સ્વભાવથી થયેલી વેદના, અતિ કટુક કડવે ખરાબમાં ખરાબ રસ છે. જ્યાં રૂપ પણ તદન બીભત્સ, જેવું પણ ન ગમે, સ્પર્શ પણ દુસહ હોય, એવા સ્થાનમાં નીરતર ટળવળતાં ઘણું લાંબા કાળ સુધી પોતે કરેલા અશુભ પાપના ફળ ભોગવે છે. પહેલી રત્નપ્રભા નામની નારકીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની બીજીની ત્રણ, ત્રીજીની સાત ચેથીની દશ, ધુમપ્રભા નામની પાંચમી નારકીની સ્થિતિ સત્તર, તમ પ્રભાની બાવીશ, સાતમી તમતમપ્રભા નામની નારકીની ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુષ્ય) તેત્રીસ સાગરોપમની છે. સીતાને જીવ જે ઈંદ્ર થયો છે, તે નારકીમાં લક્ષ્મણને જીવ જે દુઃખ ભોગવી રહ્યો છે, તેને બચાવવા જાય છે, પણ દુઃખમુક્ત કરી શકતું નથી. ઉલટાને વધારે દુઃખ થાય છે. તેવીજ રીતે પૂર્વ નેહથી બળરામજી કૃષ્ણને પણ શરણું આપવા જાય છે, પણ નિરૂપાય થઈ પાછા આવે છે. જેને માટે આ લેકમાં પાપ કર્યું તેની સહાયતા વગરનો એકલેજ પાપ કર્મ ભેગવે છે. કેઈપણ દુઃખમાં ભાગ પડાવતું નથી. मया परिजनस्यायें, कृतं कर्म सुदारुणम् । एकाकी तेन दोऽहं, गतास्ते फलभोगिनः ॥ મેં સગા સ્નેહી માટે ભયંકર પાપ કર્યું, આજે એકલે હું પીડા પામી રહે છે. પળ ભેગવનારા તે મને એકલાને છેડીને ચાલી ગયા. સાતમી નારકીના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં જગતના જેટલા દુખે છે, તે તમામ એકી સાથે ભોગવવા પડે, તેવું પારાવાર દુઃખ હોય છે. અહીં તે લેશ માત્ર બતાવી શકાય છે. નારકીઓમાં નીચે નીચેની નારકીમાં વધારે વધારે ખરાબ લેક્ષા-પરિણામ, શરીર વેદના, વિક્રિયા હોય છે. પહેલી નરક કરતાં બીજીમાં વધારે અશુભ લેયાદિક હોય. તેના કરતાં ત્રીજીમાં અશુભતમ હોય, યાવત્ સાતમીએ અતિશય અશુભ હોય. કૃષ્ણ નીલ કાપત આ ત્રણ લેશ્યાએ તીવ્ર સંકલેશ અધ્યવસાયવાળી ચાલુ રહે છે. અશુભ પરિણામ:-દસ પ્રકારને પુદગલ પરિણામ અશુભ અને અશુભતર છે. ચારે બાજુ અતિશય અંધકાર હોય છે. નારકીમાં સ્પર્શ વાંછીના ડંખ તથા કવચ (જે શરીરે સ્પર્શ થાય તે આખા શરીરમાં અતિશય ખણુ આવ્યાજ કરે.) તથા અંગારાના સ્પર્શથી અનંત ગુણ અનિષ્ટ હોય. રસ પણ ત્યાં રહેલા પુદગલેને લીંબડે કરીયાતું વગેરેના સત્વના અશુભ સ્વાદથી પણ અતિ અશુભ હોય. કુતરા બીલાડા ઉંદર સર્પ હાથી ઘોડાના કહાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy