SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ તેના દુ:ખ [૨૦]. વેશ્યા પરસ્ત્રી ગમન કરતું હતું તે ભૂલી ગયે? શિકાર કરતો હતે. અનેક માને જાળમાં પકડીને મારી નાંખતો હતો. સત્તા અને અધિકારના મદમાં બીજાઓ પાસે સખત વેઠ કરાવતો હતે. વળી પારકા ધનમાલ ચોરી લુટી પડાવીને સ્વાધીન કરતે હતે. અખુટ સંપતિ રિદ્ધિ-સત્તા મેળવી છતાં સંતેષ રાખતો ન હતો. કર્માદાનના વેપાર કરવામાં પણ પાછી પાની કરતો ન હતો. રાત્રિભૂજન, અભક્ષ્ય ભક્ષણ કરતા હતા. બીજા ઉપર જુઠાં આળ ચઢાવતું હતું. બીજાને દુઃખી દેખી આનંદ પામતે હતે. ખેટા બેટા ધર્મ બતાવી જીવોને દુર્ગતિના ખાડામાં ગબડાવી દેતે હતો. બીનજરૂરી પાપ ન કરવાની પ્રતિજ્ઞા લેતે ન હતે. બીજો અનેક આરંભ સમારંભ કરી કર્માદાનના વેપાર કરે, કારખાના ચલાવે, યુદ્ધ લડે, પાપ કરે તેના વખાણ કરતું હતું, તે તમામ શું તું અત્યારે ભૂલી જાય છે? એમ પૂર્વભવમાં કરેલાં પાપે યાદ કરાવી કરાવીને તદનુરૂપ શિક્ષા પરમાધામીઓ કરે છે. પરમાધામીએ જ્યારે તે નારકીના જીવોને શિક્ષા કરે છે, તે શિક્ષાથી બચવા માટે બીજા સ્થાને નાસી જાય છે, પરંતુ વિઝા લેહી માંસથી ભરેલી ગટરથી પણ બીભત્સ અને દુર્ગધી એવા સ્થાનમાં એચિંતા પડે છે. જ્યાં અશુચિસ્થાનમાં ઈયળ માફક લાંબે કાળ પસાર કરવો પડે છે. વળી એવા કૃમિઓ ત્યાં વિનુ છે, કે સતત વ્યથા ઉપજાવ્યાજ કરે. છઠ્ઠી સાતમી નારક પૃથ્વીમાં મટી કાયાવાળા લાલ કુપુરૂષે વિમુવીને માં હેમાંહે એક બીજા નારકીઓ હણ્યા કરે છે. વળી પરમાધામી અધમ દેવતાઓ પૂર્વના દુશ્ચરિત સંભાળીને નાસિકા હોઠ કાન છેદી નાંખે છે. તેમજ માંસ મદિરાની અભિલાષાવાળા જુઠું બોલનાર આળ મુકનાર મર્મ વાતો પ્રગટ કરનારની જીભ તીક્ષણ હથીયારથી કાપી નાંખે છે. અને લેહી રાત્રી દીવસ કાન, નાક, હોઠ, જીભમાંથી સતત વહ્યા જ કરે છે. એટલે લાંબો ઊંડો નિઃશ્વાસ મુકે છે. વળી કાપેલા સ્થાન ઉપર લાલચળ તપાવેલા લેહથી ડામ દે. ઉપર હાર નાખે એટલે લેહી અને પરૂ નીકળ્યાજ કરે. વળી લેહી પરૂથી ભરેલી દુર્ગધી કુભિમાં અશરણ અને આસ્વર કરતાં નારકેને નાખીને નીચે ચારે બાજુ અગ્નિ સળગાવીને રાંધે છે. વિરસ આકદન કરતાં તૃષિત થયેલા જયારે પાણી પીવાની માંગણી કરે છે, ત્યારે કહે છે કે તને મદિરા પીવે બહુ ગમતું હતું કેમ? એમ કહીને તપેલું તાંબુ કે સીસાનો રસ મોંમાં બળાત્કારે રેડે છે. આ મનુષ્ય ભવમાં પારકાની છેતરપીંડી કરવાવાળા ખરી રીતે પોતાના આત્માને જ છેતરે છે. મચ્છીમાર પારધી કસાઈને બંધ કરી એક ભવના માનેલા અલ્પ સુખ માટે અનેક ભવોએ અંત ન આવે તેવા લાંબા કાળના દુઃખ વહેરે છે. વળી સુકૃતથી પરા મુખ બને છે. અને નરકમાં પણ પરસ્પર દુઃખેની ઉદીરણ કરે છે. માંસ ખાવાવાળાને પિતાનું જ માંસ ખવડાવે છે. મદિરાપાન કરનારને પિતાનું જ લેહી કે સીસા તાંબાના ઉકળતા રસ પાય છે. જુઠું બેલનારની જીભ છેદી નાંખે છે. પૂર્વ જન્મમાં પારકી વસ્તુ ધન હરણ કરનારના અંગોપાંગનું હરણ કરે છે. વેશ્યાગમન કે પરસ્ત્રી સંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy