SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ દેટાના-૪૮, [૧૯] જીવ પ્રદેશ છે. જીવ પ્રદેશ ન હોય તો સ્પર્શ જાણી ન શકાય. પાકે નખ પાય, અને કાર્ચ નખ કપાય તેમાં શું પૂરક નથી ?, કાચ નખ કપાતાં વેદના થશે. જો કે બન્ને પ્રકારના નો એકજ શરીરનાં અવયવ છે, છતાં એકમાં પીડા થાય અને એકમાં પીડા ન થાય તેનું કારણ શું?, કારણ એજ છે કે પાકા નખ એ જીવના પ્રદેશથી છુટા પડેલા છે. વાળને ખેંચવાથી ઉખેડવાથી શરીરને વેદના થાય છે, પણ કાપી નાંખે તેમાં કાંઈ વેદના થાય છે ?, લચમાં જે કે વેદના છે, પણ તમે નાકના વાળ તોડો, અને તેની સાથે એ વેદનાની ગણત્રી કરે છે તે પ્રમાણમાં વેદના નથી. બાલ સાધુ શી રીતે લેચ કરાવતા હશે ?, શું શેખથી લેચ કરાવાય છે? લેચમાં પણ કલાથી લેચ કરાય તેમાં વેદના એટલી થતી નથી. ઉપરને વાળ ખીંચાતાં વેદના નથી થતી, પણ અંદરને એક જવ જેટલે વાળને ભાગ ઉખેડાય તે પીડા થાય છે, કારણ કે ત્યાં આત્મ પ્રદેશ વળગ્યાં છે. વધેલા ઉપરના વાળમાં, પાકા નખમાં આત્મ-પ્રદેશને સંબંધ નથી. જીવ આખા શરીરમાં વ્યાપીને રહે છે, માટે બધે જ વેદના થાય છે, એટલે સ્પર્શની સાથે અસર થાય છે. આથી જ શાસ્ત્રકારોએ સ્પશેદ્રિયને વ્યાપક ગણું છે, જ્યારે બીજી ચાર ઈન્દ્રિઓને વ્યાપ્ય ગણી છે. રસના (જીભ) શરીરના અમુક ભાગમાં, ધ્રાણ શ્રોત્ર, ચક્ષુ અમુક ભાગમાં જયારે સ્પર્શનેંદ્રિય આખા શરીરમાં વ્યાપક છે. વૈશેષિકે તથા નિયાયિકે ચામડીના છેડે સ્પર્શનેંદ્રિય માને છે, પણ તેમ હોય તે ગરમ કે ઠંડી વસ્તુની અસર છાતીમાં કે પેટમાં શી રીતે થાય ? આખા શરીરમાં સ્પર્શનેંદ્રિય વ્યાપક છે, અને બાકીની ચારેય ઈન્દ્રિયે વ્યાપ્ય છે. સ્પર્શ કયાં ન જણાય? ડામ કયાં ન લાગે? રસના, ઘાણ, ચક્ષુ, શ્રોત વિનાના જીવે છે, પણ સ્પર્શનેન્દ્રિય વગરના જીવ જોયા? એકેન્દ્રિયથી માંડી તમામ જીવન, પંચેન્દ્રિય પર્યંત જીવ માત્રમાં સ્પર્શનેન્દ્રિય વ્યાપક છે. સ્પર્શનું જોર બીજા જેરને હઠાવી દે છે. તમે બીજી કઈ પણ ઇન્દ્રિયના વિષયમાં કે મનના વિષયમાં લયલીન બન્યા છે, પણ એક કાંટે ભોંકાય તે ! ત્યાંનું લક્ષ શરીરમાં ખીંચાશે. સ્પર્શનેન્દ્રિયને વિષય પણ વિષયની બળવત્તરતાની અપેક્ષાએ બધાને બાધ કરે છે, તેને કઈ બાધક નથી. સારામાં સારી ગંધ મળે, સાંભળવાનું, ખાવાનું, જોવાનું સારામાં સારું સાંપડયું હોય, પણ તે વખતે કોઈ ડામ દે તો બીજા વિષયને બાધ આવે. ફેલે થયે હેય, દાઝયા હોઈએ, તે વખતે રૂપ, રસ ગંધ કે શબ્દમાં ચિત્ત રાતું નથી, પણ બીજા વિષયે સ્પર્શને બાધ કરી શકતા નથી. જીવ વિચારમાં, તત્વાર્થમાં, નવતમાં પ્રથમ જીવના વિચારમાં પહેલે ભેદ એકેન્દ્રિયને જ લેવું પડે છે. કોડની સંખ્યા સુધી પહોંચે પણ ૧ (એક) એ સંખ્યાનું વ્યાપકપણું બધેય છે, તે જ રીતે સ્પર્શનેન્દ્રિય સર્વત્ર વ્યાપક છે. સમક્તિની વ્યાખ્યા શ્રીસિધ્ધસેન-દિવાકરે સમ્યકત્વની વ્યાખ્યામાં જણાવ્યું છે કે છે એ જવનિકાયની શ્રદ્ધા તે સમ્યકત્વ. પૃથ્વી, અપૂ, તેઉ, વાઉ. વનસ્પતિ, ત્રસકાયને જીવપણે માનવું તે સમ્યકત્વ.” છોકરો આંખ ગોખતાં પહ=૪૫ બોલે તે શું થાય? દશને ફરક છે, બેટું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy