SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ના-૪૫. [૮૫] -- – –- --- - --- - ---- -- —-- -- ચૌદપૂર્વનાજ્ઞા નવાળાને જ આહારક લબ્ધિ હોય છે. તેવી રીતે આહારક શરીર માટે પણ એ નિયમ છે, કે પશમ થવાથી જેઓએ ઇપૂર્વનું જ્ઞાન મેળવ્યું હોય તેને જ આહારક લબ્ધિ હોય છે, અને તે વિના આહારક શરીરની લબ્ધિ હતી જ નથી. આપણે એ વિચારી ગયા છીએ કે પ્રાણીની દયાને પ્રસંગ પ્રાપ્ત થાય, અગર તીર્થકરના સમવસરણની ત્રાદ્ધિને સાક્ષાત્કાર રૂપે જોવાની હોય, સૂક્ષ્મ-સંશયાદિ પૂછવાના હોય, ત્યારે શ્રી જિનેશ્વર દેવ પાસે જવા માટે આહારક શરીરની રચના કરવામાં આવે છે. . અનંત ગુણ વૃદ્ધિ અર્થ ધારણ કરનાર તે ચૌદપૂર્વીઓ પ્રરૂપણામાં, અને દેશનાની શક્તિમાં કેવલીઓ સરખા જ હોય છે. તેમની પ્રરૂપણું અને કેવલીની પ્રરૂપણ સરખી હેય માટે તે ચૌદ-પૂર્વીને અને દશ-પૂવને શ્રુતકેવલી કહેવામાં આવે છે. નિરૂપણ અભિલાપ્ય પદાર્થોનું હેય, અનભિલાપ્ય પદાર્થોનું નિરૂપણ હેય નહિ. કહેવા લાયક પદાર્થોનું સ્વરૂપ જેવું કેવલી કહે છે, તેવુંજ શ્રુતકેવલી પણ કહે છે, અને ચૌદપૂર્વીએ મનુષ્યના અતીત, અનાગત અસંખ્યાતા ભલેને કહેવાનું સામર્થ્ય ધરાવે છે. પશમની વિચિત્રતાના કારણે અવધિજ્ઞાનમાં તથા શ્રુતજ્ઞાનમાં અસંખ્યાતા ભેદ છે. જે વસ્તુને અંગે શ્રોતાઓ જે જે પ્રશ્ન કરે છે તે તમામ વસ્તુને શ્રુતકેવલીએ યથાસ્થિત નિરૂપણ કરે છે. શ્રોતાગણમાં જેને અવધિજ્ઞાન કે વિશિષ્ટ જ્ઞાન હોય તેની વાત જુદી છે, પણ તે વિના ચૌદપૂર્વ-નિરૂપકને અંગે કે જાણે શકે જ નહિ કે આ છદ્મસ્થ છે. તાત્પર્ય એ છે કે શ્રુતકેવલીની દેશના કેવલી પરમાત્માની દેશના સદશ છે. કેવલીઓએ ત્રણ કાલના કથન કર્યા મુજબના પદાર્થને કથન કરાય તે અભિલાય. દશપૂર્વીઓ અને ૧૪ પૂવઓ દેશનામાં કેવળી સરખા હોય છે. જોષીએ શાસ્ત્રના આધારે ભવિષ્ય કથન કરે છે. શ્રુતકેવલીઓ પણ શાસ્ત્રના બલે ભૂતકાળના તથા ભવિષ્યના ભવે કહી શકે છે. કેવલીમાં કેવલજ્ઞાન છે, શ્રુતકેવલીમાં હજી કેવલજ્ઞાન નથી, પણ પ્રરૂપણામાં બંને સમાન છે; પણ આ વાત ત્યારે જ સમજાશે અને ખ્યાલમાં આવશે કે શ્રીતીર્થકર મહારાજાએ પહેલા પહોરે દેશના દે છે, બીજે પહોરે ગણધર મહારાજાઓ દેશનાના હકદાર કેમ હોય છે?, કહેવું પડશે કે બંનેની દેશના એક સરખી હોય છે. પ્રરૂપણામાં જેવી પ્રથમ પર શ્રીતીર્થકર દેવની પ્રરૂપણ હોય છે, તેવી જ બીજે પહેારે શ્રી ગણધર મહારાજની પ્રરૂપણ હોય છે. ત્યારે નિયમ એ છે કે જેવી કેવલીની દેશના તેવી જ શ્રુતકેવલીની દેશના, તથા જેવી શ્રુતકેવલીની દેશના તેવી જ કેવલીની દેશના. આહારક શરીરને અંગે. સંશય વિદાર્થો, નવા પદાર્થ જાણવા માટે, અસંભિન્ન ચૌદ પૂર્વીને, શ્રી તીર્થકરદેવ પાસે મોકલવા માટે આહારક શરીર કરવાની છૂટ. અનુત્તરના દેવતાઓ પુણ્યમાં ચઢીઆતા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy