SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- - ---- -: -- ---- ----- - [૧૪] શ્રીઅમેઘ–દેશના–સંગ્રહ. ચાલુ છે. ચૌદ રાજલકમાં બીજું એક એવું સ્થાન નથી, માટે જ એનું નામ “અનુત્તર છે. અનુત્તર દેવલોકમાં પાંચ જ વિમાન છે. કોઈ તર્ક કરે કે “બધા જીવોના ભેદે જણાવ્યા તે સિદ્ધના જ સંબંધી કેમ કંઈ કહેતા નથી?” મુદ્દો એ છે કે જીવના ભેદોને અધિકાર પુદગલ-પરિણામને છે. સિદ્ધના જીવો તે પુગલેને પરિણાવતા જ નથી એટલે પુદ્ગલ પરિણમન વગરના તે સિદ્ધના જીવો છે, એટલું જ કહેવું પર્યાપ્ત છે. અનુત્તર-વિમાન કોને મળે? પુણલ–પરિણમનને અગે, પુણ્યના વિપાક રૂપે ઉંચામાં ઉચે ભેદ અનુત્તર દેવકને છે, આવા સ્થાનને કણ મેળવે ? यथा चित्तं तथा वाचा, यथा वाचा तथा क्रिया । चित्ते वाचि क्रियायां, च, साधूनामेकरूपता ॥२॥ મન, વચન તથા કાયાથી ત્રિકરણ વેગે એક રૂપે આત્માએ સંયમ પાલન કર્યું હોય. કહે કે અપ્રમત્ત સંયમ પાળ્યું હોય, એટલે કે આટલી ટેચને હદે જે આત્મા સ્વ-શકિત કેળવી શક હય, તેજ આત્મા અનુત્તર વિમાનને મેળવી શકે છે. પૂર્વે જેનું સમ્યગ દર્શન શુધ્ધ હાય, સમ્યફ ચારિત્ર શુદ્ધ હેય, તેમાં લેશ પણ ખલના ન હોય, તે જીવ અનુત્તર વિમાનને મેળવે છે. અનુત્તર વિમાનમાં પણ ઉચ્ચ કેટિના એવા દે છે, કે જેને “લવસત્તમ” કહેવામાં આવે છે. “લવસત્તમ' શાથી કહ્યા?, ૪૮ મિનિટની બે ઘડી એટલે ૧ મુહુર્ત, અને એક મુહૂર્તના ૭૭ લવ થાય છે. અર્ડિ લવસત્તમ' એટલે માત્ર “સાતલવ” એાછા આયુષ્ય “અનુત્તરમાં આવેલા દેવો. તાત્પર્ય એ છે કે પૂર્વ ભવે એ નિર્જરાની ધારા જે સાત લવ વધારે લંબાણી હેત, એ ધારામાં આયુષ્ય સમાપ્તિએ પડદે ન પાડ્યો હેત, ફક્ત સાત જ લવ વધારે આયુષ્ય હેત, તો તે આત્મા મોક્ષે જ જાત. એ જ રીતે છ૬ જેટલું તપ વધારે થયે હેત અથવા ૬ તપની નિર્જરા જેટલી નિર્જરા વધારે થઈ હોત, તો તે આત્મા જરૂર મોક્ષે જ જાત. લવસત્તમ એટલે પૂર્વે કાર્ય–સિદ્ધિથી માત્ર સાત લવના અંતરે જ રહી ગયેલા, સાતલવ આયુષ્ય વધારે ન હોવાથી મેલે ન જઈ શકાયું તેવા દે, પરંતુ અનુત્તર વિમાનને અધિકાર તેઓને મળે. પ્રથમના ચાર અનુત્તર, તથા સર્વાર્થસિદ્ધના જે અંગે મુખ્ય ભેદ. અનુત્તર વિમાનના દેવતાઓના પાંચ ભેદ છે. ૧ વિજય. ૨ વિજયંત ૩ જયંતી ૪ અપરાજિત. ૫ સર્વાર્થસિદ્ધ. સિદ્ધશિલાથી માત્ર ૧૨ જન દૂર અનુત્તર વિમાન છે એમ કહ્યું છે. સૌધર્મ દેવલેકમાં ઉવવાઈ ન જણાવ્યું, યાવત્ રૈવેયકપાત પણ ન જણાવ્યું ફકત અનુત્તર વિમાનને અંગે અનુત્તરવવા શા માટે જણાવ્યું ?, અનુત્તર ને ઉપપાતની અવસ્થા છે. એમનું આયુષ્ય ૩૩ સાગરોપમનું તેમાં ૧૬ સાગરોપમ એક પડખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy