SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના-૨૫. | [૧] શક્ય છે. બેલે છે ને કે જે ત મિલાઈ! “સ્પર્શાદિકવાળા પદાર્થોનો સમાવેશ છે મહેમણે કરી શકાય તે પછી આત્મા જેવા અરૂપી પદાર્થના સમાવેશમાં હરકત શી?, પરિણામ ક્ષેત્રાનુસાર થાય. સિદ્ધિના સ્થલમાં, સિધ્ધાત્માઓના આગમનથી ઉભરો આવતું નથી. સિધ્ધો રૂપી નથી. જે સ્થલે પગલે છે, જ્યાં એકેન્દ્રિ-નિગદના અનંતાનંત જીવે છે ત્યાંજ અનંતા સિધ્ધો પણ વિરાજમાન છે. જ્યાં સિધ્ધ ભગવાને બિરાજે છે, ત્યાં પુગલે ચૌદ રાજલોકમાં જેમ છે તેમજ ભરેલાં જ છે. અહિં સંસારી જીવમાં તથા સિદ્ધ જીવોમાં પૂરક છે ? તે સમજી લે. સંસારી જ પુદ્ગલેને પકડે છે, ખીંચે છે, ગ્રહણ કરે છે અને પોતામાં પિતાપણે પરિણુમાવે છે. ઘઉંના બીજમાં પડેલું પાણી, બીજમાં ભળેલું પાણી, એનું પરિણામ શું? બીજમાં પડેલું પાણી તેમાં ભળી ગયું, મળી ગયું, એક થઈ ગયું અને ઘઉંના છોડવાના રૂપે બની ગયું. કર્મોદયાનુસાર છ પુદગલેને પરિણાવે છે એ કેન્દ્રિ, બેઈન્દ્રિયે, તે ઈન્દ્રિ, ચૌરેન્દ્રિયો; અને પંચેન્દ્રિય તમામ જીવે આ રીતે પાંચેય પ્રકારના સંસારી જી પુદગલોને લઈને પિતા પણે પરિણાવે છે. વરસાદ આકાશમાંથી તે એક સરખે પડે છે, વરસાદના પાણીના બિંદુઓ તમામ એક સરખાં છે, પાણી રૂપે સમાન છે; પરંતુ જમીન ઉપર પડયા પછી પરિણામ ક્ષેત્રનુસાર થાય છે. જેવું વાવેતર તેવું અનાજ ઉત્પન્ન થાય છે. એ કેન્દ્રિય છ ઔદારિક-પુગલેને એકેન્દ્રિય રૂપે પરિણાવે છે. બેઈન્દ્રિય જીવો બેઈન્દ્રિયરૂપે પરિણુમાવે છે, તેમજ બધે સમજી લેવું. વરસાદ એને એ પણ વૃક્ષોમાં એજ વૃષ્ટિગે કયાંક આંબે, કયાંક કેળ, કયાંક દ્રાક્ષ, કયાંક ખજૂર તરીકે પરિણમે છે. ઉત્કૃષ્ટ-પાપના પરિણામે નરક. સંસારી જેમાં વિચિત્રતા ઘણી છે. કુતરા બીલાડા ઘરમાં વિષ્ટ કરી જાય એને સજા કરવા માટે કાયદો નથી, અને મનુષ્ય તેમ કરે તે ફરીયાદ થાય, અર્થાત્ દંડ વગેરેની તેને સજા પણ થાય. એકેન્દ્રિયાદિ કરતાં પંચેન્દ્રિયને ગુહો વધારે સમજણને આશ્રીને છે. વધારે પુણ્ય, વધારે પાપનાં ફલે ભેગવવાનાં સ્થાન માનવાં પડશે. પંચેન્દ્રિયના ભેદ કેટલા?, ચાર એટલે નરક, તિર્યંચ, મનુષ્ય, અનેદેવતા. આપણે જોઈ ગયા કે ઉત્કૃષ્ટ પાપ-પરિણામ ભોગવવાનું સ્થાન નરક, અને ઉત્કૃષ્ટ પુણ્ય પરિણામ ભોગવવાનું સ્થાન દેવક છે. ઉત્કૃષ્ટ પુણ્યના ભેગવટમાં સંપૂર્ણ ઈન્દ્રિયે હોવી જ જોઈએ. પાપનાં પરિણામ ભોગવવા ટાઢ, ગરમીની પરાકાષ્ટાવાળી વેદના જ્યાં છે, તેવી નરક એક નથી, પણ સાત છે. પાપનાં પરિણામમાં દવાનું શું? દુઃખ ભૂખ, તૃષા ટાઢ, ગરમી, છેદન, ભેદન, દાનાદિ; અને મરવાની ઇચ્છા છતાં મરાય નહિ, છૂટાય નહિ. સમયના ય અંતર વિના કેવળ વેદ જ જવાનું, કેવળ ત્રાસ ભોગવ્યેજ જવાને એ સ્થિતિ નરકની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy