SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરદેવ રૂપ માનવાને કઈ જ વિચક્ષણ તૈયાર થતો નથી. સ્યાદ્વાદી જ્યારે ભગવાન શ્રી મહાવીરદેવને ચાવીસમા અગર ચરમ તીર્થપતિ તરીકે વર્ણવો હોય છે, ત્યારે તેણે વર્તમાન અવસર્પિણી ૩૫ કાળચક્રાર્ધની અપેક્ષા પ્રધાન રૂપે સ્વીકારી હોય છે : છતાં તેને ખ્યાલમાં જ હોય છે કે-આવાં તે અનન્તાં કાળચક્રાધે ભૂતકાળમાં થયાં છે અને ભાવિકાળમાં થવાનાં છે. આમ હવાના કારણે, ભગવાન શ્રી મહાવીરદેવને * ગ્રેવીસમા ” અગર “ચરમ તીર્થપતિ તરીકે કહેવા એ સત્ય છે અને “અનન્તમા” તથા “અચરમ’ તીર્થપતિ તરીકે કહેવા એય સત્ય છે. પહેલા કે છેલ્લા કેઈ તીર્થંકર હોય કે? ભગવાન શ્રી મહાવીરદેવ આ શ્રી ભરતક્ષેત્રમાં તીર્થપતિ થયા છે. પાંચ ભરત અને પાંચ અરવત ક્ષેત્રમાં કાલ સદા “પરાવર્તમાન' હોય છે, જ્યારે અન્ય ક્ષેત્રોમાં “ અવસ્થિત” કાલ હોય છે. કાળના આ પરાવર્તમાનપણાનાં સૂચક કાલચક્ર છે. એક “અવસર્પિણ” અને એક “ઉત્સર્પિણું’-એ બેનું એક કાળચક્ર બને છે. જે કાળમાં પ્રતિક્ષણે શુભ ભાવો વૃદ્ધિ પામે છે અને અશુભ ભાવો ક્ષીણતા પામે છે, તેને “ઉત્સર્પિણું કાળ” કહેવાય છે. એથી ઉલ્યું, જે કાળમાં પ્રતિક્ષણે અશુભ ભાવો વૃદ્ધિ પામે છે અને શુભ ભાવે ક્ષીણતા પામે છે, તેને “અવસર્પિણી કાળ” કહેવાય છે. આ બનેય કાળચક્રાધે છે છ આરાવાળાં હોય છે. સુષમસુષમા, સુષમા, સુષમદુઃષમા, દુશમસુષમા, દુષમા અને દુઃષમદુઃષમા-એવાં છ આરાઓનાં ગુણસૂચક નામ છે, त्तुमभिप्रेति स नयः, वस्त्वेकदेशपरिग्राहकत्वात् , अत एवोकमन्यत्र-" सव्वे नया मिच्छावाइणो," यत एव च नयवादो मिथ्यावादस्तत एव च जिनप्रवचनतत्त्ववेदिनो मिथ्यावादित्वपरिजिहीर्षया सर्वमपि स्यात्कारपुरस्सरं भाषन्ते, न तु जातुचिदपि स्यात्कारविरहितं, यद्यपि च लोकव्यवहारपथमवतीर्णा न सर्वत्र सर्वदा साक्षात् स्यात्पदं प्रयुञ्जते तथापि तत्राप्रयुक्तोऽपि सामर्थ्यात् स्याच्छब्दो द्रष्टव्यः, प्रयोजकस्य कुशलत्वात् , उक्तं च-“ अप्रयुक्तोऽपि सर्वत्र, स्यात्कारोऽ र्थात् प्रतीयते। विधौ निषेधेऽन्यत्रापि, कुशलश्चेत् प्रयोजकः ॥१॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034768
Book TitleBhagwan Shree Mahavir Dev
Original Sutra AuthorN/A
AuthorChimanlal Nathalal Shah
PublisherChimanlal Nathalal Shah
Publication Year1940
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy