SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી સ્યાદ્વાદિની વાણી મિથ્યા નહિ? ભગવાન શ્રી મહાવીરદેવને આપણે ચોવીસમા અગર ચરમ તીર્થપતિ તરીકે પીછાનીએ છીએ. શું અત્યાર સુધીમાં વીસ જ તીર્થપતિએ થયા છે ? ભગવાન શ્રી મહાવીરદેવ ચરમ તીર્થપતિ છે, એટલે શું હવે તીર્થપતિ થવાના જ નથી ? એક દષ્ટિએ ભગવાન શ્રી મહાવીરદેવ વીસમા અને ચરમ તીર્થપતિ પણ છે : તેમજ બીજી દષ્ટિએ એ અનન્તમા તીર્થપતિ પણ છે અને હજુ અનન્તા તીર્થપતિઓ થવાના હેઈ, એ તારક ચરમ તીર્થપતિ નથી એમ પણ કહી શકાય. આમાં વિસંવાદ જેવું કાંઈ જ નથી. સ્યાદ્વાદ સિદ્ધાન્તને નહિ સમજેલાઓને જ આમાં વિસંવાદ જેવું લાગે. એક નયને અનુસરતું વચન પણ જે શુદ્ધ સ્વાદાદિનું હોય તો તે મિથ્યા નથી. ચાઠાદિનું વચન સર્વ અપેક્ષાઓના સ્વીકાર પૂર્વક જ વિવક્ષિત વસ્તુનું પ્રતિપાદન કરનારું હોય છે. આથી સ્યાદ્વાદિના કઈ પણ વચનને મિયા કહેવું, એ મૂઢતા છે. આ જ કારણ છે કે–શ્રી જૈન શાસ્ત્રોને મિથ્યા વચનોના સંગ્રહ અનેક વિષયોની જેમ આ વિષયમાં પણ સાગરાનન્દસૂરિએ પોતાની ઉત્સુત્રભાષિતાનો પરિચય કરાવ્યો છે. સાગરાનન્દસૂરિએ પિતાના સિદ્ધચક્રના બીજા વર્ષના બીજા અંકમાં ૩૧ મા પાને લખ્યું છે કે તેમણે (શાસ્ત્રકારોએ) જણાવી દીધું છે કે–શાસ્ત્રના તમામ વાકયો મિથ્યાવી છે.” વસ્તુતઃ શાસ્ત્રકાર-મહાત્માઓએ આવું જણાવ્યું નથી. શાસ્ત્રકાર મહાત્માઓ તે તેમ કહેનારા અજ્ઞાનિઓને નિષેધે જ છે. શ્રી આવશ્યક -અલયગિરિવૃત્તિ–ઉપદ્દઘાતમાં પણ જૂઓ કે अयमत्र तात्पर्यार्थः-इह यो नयो नयान्तरसापेक्षतया स्यात्पदलाञ्छितं वस्तु प्रतिपद्यते स परमार्थतः परिपूर्ण वस्तु गृह्णातीति प्रमाण एवान्तर्भवति, यस्तु नयवादान्तरनिरपेक्षतया स्वाभिप्रेतेनैव धर्मेणावधारणपूर्वकं वस्तु परिच्छेShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034768
Book TitleBhagwan Shree Mahavir Dev
Original Sutra AuthorN/A
AuthorChimanlal Nathalal Shah
PublisherChimanlal Nathalal Shah
Publication Year1940
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy