________________
ભગવાન પાર્શ્વનાથ : 7 દેવીઓ કહેતી, “માતા ! અમને સ્વર્ગલેક કરતાં આપની સમીપે રહેવાનું ગમે છે, અને બાળરાજાને રમડવાનું મળશે એવા વિચારો અતિ આનંદ આપે છે.”
રાજા અશ્વસેન પણ રાણુ વામાદેવીની મનોકામના સર્વ પ્રકારે પૂરી કરતા હતા. સ્વપ્રપાઠકએ કહેલું કે, “તમે ભાવિ તીર્થકરનાં માતા-પિતા થશે.” એ મંગળકારી સ્વમના ફળને જાણીને રાજા-રાણી બંને પ્રસન્ન રહેતાં હતાં અને સંયમી જીવન જીવતાં હતાં.
ભગવાન પાર્શ્વનાથને જન્મ અને ઉત્સવ
માતા વામાદેવીએ માગશર વદ ૧૦ ના દિવસે સપના લાંછનવાળા નીલવર્ણા પુત્રને જન્મ આપે. તત્ક્ષણ સૌધર્મ નામના દેવને અવધિજ્ઞાન દ્વારા સંદેશે મળી ગયે, અને હજારે દેવદેવીઓ સાથે ઇન્દ્ર ભગવાનની માતા પાસે પ્રભુની પ્રતિકૃતિ મૂકીને ભગવાનના અસલ સ્વરૂપને ઉત્સાહ પૂર્વક ધારણ કરી મેરુપર્વત પર જન્મ-ઉત્સવ માટે પહોંચી ગયાં. પિતાની વિવિધ શક્તિ વડે તેમણે મેરુપર્વત પર સુવર્ણસિંહાસનની સ્થાપના કરી. બાળ ભગવાનને પિતાના ઉસંગમાં ધારણ કરી અનેક દેવ-દેવીઓને શ્રેણીબદ્ધ ગોઠવી ભગવાનને જન્માભિષેક કર્યો અને અતિ ઉમંગમાં પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા કે
હે નીલવર્ણવાળા, જગપ્રિય, જગવત્સલ પ્રભુ ! આપને મારા કટિ વંદન છે. જ્ઞાનના ભંડારરૂપ, આનંદના કંદ હે વિભુ ! આપને હું નમસ્કાર કરું છું. આ જગતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com