SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ભગવાન મહાવીરસ્વામીનું જ દીવ્ય-જીવન પ્રાયઃ કરી વિષયેચ્છાનું મૂળ કારણ શરાબપાન છે, તેનું મૂળ કારણ અનિયંત્રિત મન અને તેનું મૂળ ધાર્મિક્તાને અભાવ છે. તે કારણે જ શરાબપાન સર્વથા નિંદનીય હવા સાથે બધાએ દુર્ગુણોને જનક (બાપ) છે. કારણ વિના પણ મસ્તિષ્કની ઉશ્કેરણી કરાવનાર શરાબપાન વડે ઉત્પન્ન થયેલી માદકતા છે, જે તમને વારંવાર રણમેદાનમાં લઈ જશે, જ્યાં લાખ કરોડે માનની હત્યાનું પાપ તથા વિધવા બનેલી કુળવધૂઓના અને પુત્રવિહોણી થયેલી માવડીના શાપ તમને સર્વથા દાનવ બનાવી શકશે. પિતાની ધર્મપત્નીને રોવડાવીને પરસ્ત્રીના માર્ગે લઈ જવામાં શરાબપાન મુખ્ય કારણ છે. તેને તમે સમજે, અને યભિચારિતા, દુષ્કમિતા, દુર્જનસહવાસિતાને જન્મ દેનારા શરાબપાનને ત્યાગે જેથી પરમાત્માઓને આશીર્વાદ તમને સુલભ બનશે. ૮૪ લાખ જીવાયેનિમાં મનુષ્ય અવતાર જ સર્વશ્રેષ્ઠ છે. તેને તમે શરાબપાન, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, કન્યાગમન, વિધવાગમન કે દાસીગમનના મહાપાપોથી મલિન કરશે નહિ. હિંસાત્મક, હિંસાવર્ધક અને હિંસા પરંપરક સામ્યવાદમાં પરિગ્રહના કારણે વધી ગયેલે “વૈષમ્યવાદ” જ કામ કરી રહ્યો છે, જેના કારણે થેડા જ માનવેને ત્યાં દૂધ-કેટલા છે અને લાખે– કરડો માનવેને ત્યાં લુખા જેટલા પણ ભાગ્યમાં નથી, શરીરશણગારની પાછળ એકાદને ત્યાં લાખો રૂપીઆએને પાપવ્યય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034766
Book TitleBhagwan Mahavirswaminu Divya Jivan
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1978
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy