SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ આયા મારા સંતાનને ઊછેરવા ઈચ્છે છે” (એમ પિતાના મનથી વિચારીને મનુષ્ય) પિતાના સંતાનને હુંશિયાર આયાને સંપીને જેવી રીતે વિશ્વાસ રાખે છે તેવી જ રીતે બીક વગર, વિશ્વાસપૂર્વક અને ગૂંચવણ વિના રજજુકે પોતાની ફરજ બજાવી શકે તેટલા માટે પ્રાંતના લોકેના હિતસુખને માટે મેં તેમને નીમ્યા છે.” ન્યાય ચૂકવવાની બાબતમાં ઉપલે સુધારે અશકે જે વર્ષો દાખલ કર્યો હતો તે જ વર્ષે તેણે ફેજદારી કાયદાની સખ્તાઈ કાંઈક ઓછી કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ જ સ્તંભલેખમાં (ચેથા મુખ્ય સ્તંભલેખમાં) તેણે કહ્યું છે કે, જે લેકેને દેહાંતદંડ થયો હોય તે લેકેને ત્રણ દિવસની મહેતલ આપવામાં આવતી હતી. તેઓ પિતે ફાંસીના લાકડે ચઢે તેના પહેલાં પરલોકને વિચાર કરવાની તેમ જ પરલકને માટે લાયક બનવાની તક તેમને મળે : એ જ એને મુખ્ય હેતુ હતો. • ૧. આ કુકર વાંચતાં એમ જણાય છે કે, ન્યાયનું કામ બજાવવાની બાબતમાં અશેકે રજજુને સર્વોપરિ સત્તા આપી દીધી હતી, અને વિવાદ કરવાની પદ્ધતિ કાઢી નાખી હતી. વળી, એમ પણ જણાય છે કે, અશોકે પોતાના રાજકાળના છવીસમા વર્ષમાં માત્ર રજજુને જ ન્યાય ચૂકવવાની ફરજ સેંપી દીધી ત્યારે ધર્મમહામાત્રોના હાથે ન્યાયની ફરી તપાસ કરાવવાને લગતી પદ્ધતિ કાઢી નાખી હોવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy