SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દથી અને ભાજ' શબ્દથી “પતેનિક” શબ્દને જૂદો ગણ્યો છે; અને પૈઠણના લેકેનું સૂચન પેકેનિક’ શબ્દથી થાય છે, એવું તેઓ માનતા આવેલા છે. પરંતુ એમાં એમની ભૂલ થાય છે. અલબત્ત, નિરા' શબ્દની ઉત્પત્તિ “નિશાન' (પૈઠણ) શબ્દની ઉપરથી થઈ હશે, એવું અનુમાન થઈ શકે છે; પણ એ શબ્દને અર્થ તે “પૈઠણના વતની લકે” એ થાય. “કબેજ' કે ગંધાર શબ્દ જેમ જાતિદર્શક છે તેમ આ શબ્દને કાંઈ જતિદર્શક ન ગણી શકાય. વળી, ”િ શબ્દમાં કાર છે ત્યારે જેજિવા’ શબ્દમાં “તકાર છે. કારના બદલામાં “તકાર કાંઈ વપરાય નહિ. બુહલર સાહેબે સૌના પહેલાં આ હકીકતની તરફ વાયકાનું ધ્યાન બરાબર ખેચ્યું હતું. વળી, શ્રીયુત દે. રા. ભાંડારકરે અન્યત્ર કહ્યું છે ૧ તેમ, “ટ્રિનિલ” ને ઉલેખ “અંગુત્તરનિકાય”માં થએલે છે, અને તેમાં તેને અર્થ “રાજાથી ઉતરતો” –બીજી પંક્તિને-રાજા” એ થાય છે; અને ભાષ્યકારે “ ” શબ્દને અર્થ “વંશપરંપરાગત મિલ્કતને ભંગ કરનાર વ્યક્તિ” એ કર્યો છે. આથી કરીને અશોકના શિલાલેખમાંના “દિલ દિવા” ને એક જ શબ્દ ગણવો જોઈએ, અને તેને અર્થ રાષ્ટ્રને વંશપરંપરાગત રાજા “એવો કરવો જોઈએ- પછી ભલે તેને પૂર્વ જ રાજાના હાથે નીમાએ હાકેમ હોય. આપણા દેશમાં પ્રાચીન કાળમાં આવા પ્રકારના અનેક રાજાઓ હશે; પણ અશોકના પાંચમા મુખ્ય શિલાલેખમાં ઉલ્લેખેલા એવા રાજાઓના સ્થાનનો શોધ તે આપણું દેશના પશ્ચિમ કાંઠાની બાજુમાં કઈક સ્થળે આ ગ્રંથના કામે આપણે કરવાને છે; કારણ કે, એમાં એમને અપરાંત' (પશ્ચિમકિનારાના લકે) કહ્યા છે. એવું હાઈને આપણે એવું અનુમાન કરી શકીએ છીએ કે, આપણા દેશના પશ્ચિમ કિનારાના પાડેસમાં આવેલી ગુફાઓમાંના શિલાલેખમાં જે ૧. . . ૧૯૧૯, પૃ. ૮૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy