SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] ભાષાંતર દેને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે મારા રાજ્યાભિષેકને છવીસ વર્ષ વિત્યાં ત્યારે આ પ્રાણીઓને ૧ અવધ્ય ગણવામાં આવ્યાં હતાં–જેમ કે, પોપટ, સારિકાઓ, લાલ ચક્રવાકે, ૨ હંસ, નંદિમુખો, ગેલટે, ચામાચીડિયાં, મેટી કીડીઓ, કાચબીઓ, હાડકાં વગરની માછલીઓ, વેદવેય, ગંગાપપુટકે, સંકુચિઓ (“સ્ટેઇટ્સ' નામક માછલીઓ), કાચબાઓ અને સાહુડીઓ, સસલાંના જેવી ખીસકેલીએ, બારશિંગા, છૂટા મુકાએલા સાંઢ, ઘરની જીવાત, ગેંડા, ઘેળાં કબૂતર, ગામઠી કબૂતર, અને વપરાતાં કે ખવાતાં ન હોય તેવાં બધાં ચોપગાં પ્રાણીઓ. બકરીઓ કે ઘેટીઓ કે ડુક્કરીઓ ગાભણી હોય કે દૂધાળી હોય તો તેમને વધ કરવો અયોગ્ય છે, અને છે મહિનાની ઉમ્મર સુધીનાં તેમનાં કેટલાંક બચ્ચાં પણ અવધ્ય છે. કૂકડાની ખાસી કરવી નહિ. જીવવાળા ચૂલાને બાળવું નહિ. તેફાનમાં કે જીવહિંસાને માટે જંગલને બાળવાં નહિ. જીવને જીવથી પોષવા નહિ. ત્રણ ઋતુઓની પૂનમના ૫ અને તૈષની પૂનમના અરસામાં ત્રણ દિવસેના– (એ પખવાડિયાની ) ચૌદસના (અને) પૂનમના અને (પછીના અઠવાડિયાની ) પ્રતિપદાના– દરમ્યાનમાં અને ખાસ કરીને ઉપવાસના દિવસે એ માછલીને વધ કરવો નહિ. એ જ દિવસેમાં હાથીવનમાં અને માછલીના અથાણામાં આ અને બીજે પ્રાણીઓને વધ કરવો નહિ. (દરેક) પખવાડિયાના આઠમા અને ચૌદમા તથા પંદરમા દિવસે, (અને) તિષ્ય અને પુનર્વસુ દિવસેએ ( તથા) ત્રણ ઋતુઓની પૂનમે ?(આવા) સારા દિવસોએ ગોધાની ખાસી કરવી નહિ; બકરા, ઘેટાં, ડુક્કર અને એવાં બીજાં (જે પ્રાણુઓ)ને ખાસી કરી હોય તેમને ખાસી કરવી નહિ. તિષ્ય અને પુનર્વસુ દિવસોએ (તથા) ઋતુઓની પૂનમે, અને ઋતુઓની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy