SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ [૫] ભાષાંતર દેવોને લાડ પ્રિયદર્શી રાજા આમ કહે છે -કલ્યાણ કરવું અઘરું છે. જે કલ્યાણ આદરે છે તે અઘરું કામ કરે છે. હવે મેં ઘણું કલ્યાણ કર્યું છે. મારા પુત્ર, પૌત્ર અને તેમની પછીના મારા વંશાજે તેને અનુવર્તશે તે તેઓ પુણ્ય કરશે; પણ આ બાબતમાં જે (પિતાની ફરજન) અંશ પણ ત્યજશે તે પાપ કરશે. ખરેખર, પાપ કરવું સહેલું છે.' હવે, પૂર્વે ઘણા વખતથી ધર્મમહામાર ન હતા. મારા રાજ્યાભિષેકને તેર વર્ષ થયાં ત્યારે મેં ધર્મમહામાત્રો નીમ્યા. ધર્મ સ્થાપવાને માટે, ધર્મ વધારવાને માટે, અને ધાર્મિક કેના હિતસુખને માટે સર્વ પાષામાં તેમને કામે લગાડેલા છે. યવનોના, કબજેના અને ગંધાના તેમ જ પરંપરાગત રાષ્ટ્રિકાના અને પશ્ચિમ કાંઠાની પાસેના બીજા લેકના દેશમાં તેઓ નેકર બનેલા બ્રાહ્મણોના અને ગૃહપતિઓના તથા અનાથોના અને વૃદ્ધોના હિતસુખનું તેમ જ ધર્મિક લેકાને બંધનમાંથી મુક્ત કરવાનું કામ (પણ) કરી રહ્યા છે. કેદખાનામાં પૂરાએલા (કેઈ પણ ઇસમોને ધણાં સંતાને હોય કે કનડગત થતી હોય કે ઘડપણ આવ્યું હોય તો તેને નાણુની મદદ આપવાનું કે તેને બંધનમાંથી મુક્ત કરવાનું અથવા તેને છોડી મુકવાનું કામ તેઓ કરે છે. મારા ઝનાનામાં અથવા પાટલિપુત્રમાં કે બહારનાં શહેરમાં રહેતાં મારાં ભાઇબહેનની અને બીજાં સગાંસંબંધીની પાસે સર્વત્ર તેઓ કામ કરે છે. જે ધર્મિષ્ઠ ઇસમ ધર્મને અનુસરતો હોય કે ધર્મનું ધામ હોય કે દાન કરનારે હોય તેની પાસે તેઓ મારા મુલકમાં સર્વત્ર કામ કરે છે. એવા હેતુથી આ ધર્મલિપિ કોતરાવી છે કે, તે ચિરસ્થાયી બને, અને મારી પ્રજા (મન) અનુવર્તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy