SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ફતેહ મળેલી તે ફતેહને કાંઈ પણ ઉલ્લેખ તેના સાતમા મુખ્ય સ્તંભલેખમાં કરવામાં આવેલ નથી. અશોકની દૃષ્ટિએ આ બને બાબતો એટલા બધા મહત્ત્વની છે કે, તેના પિતાના સાતમા મુખ્ય સ્તંભલેખની સાલની પહેલાં તેના પિતાના રાજકાળના સત્તાવીસમા વર્ષની પહેલાં એ બન્ને બાબત બની ગઈ હોત તે પિતાના ઉક્ત સાતમા મુખ્ય સ્તંભલેખમાં તેમને ઉલેખ કર્યા વગર તે રહેતા જ નહિ. આવું હોઈને આપણે એવો જ નિર્ણય કરી શકીએ છીએ કે, અશોકને બીજો અને તેરમો મુખ્ય શિલાલેખ– કહે કે, તેના ચૌદ મુખ્ય શિલાલેખે– કોતરવાનું કામ તેના સાત મુખ્ય સ્તંભલેખો કેતરાઈ ગયા ત્યારપછી જ હાથમાં લેવામાં આવ્યું હોવું જોઈએ. બીજી રીતે પણ આ જ નિર્ણય આપણે કરી શકીએ છીએ. આપણે પ્રથમ કહી ગયા છીએ તેમ, પિતાના ધર્મને ફેલાવે કરવાને માટે પોતે જે ઉપાયો યોજેલા તે ઉપાયેનું વર્ણન પોતાના સાતમા મુખ્ય સ્તંભલેખમાં કરતાં અશોક કહે છે કે, એ કામે તેણે શ્રેમ’ ઊભા કરાવેલા. વળી એ સ્તંભલેખના છેવટના ભાગમાં તેણે એમ પણ કહ્યું છે કે, “જ્યાં શિલાઓં કે શિલાફલકે હાય ત્યાં આ ધર્મલિપિ કોતરવી.” એમાં “પર્વત’ના ઉપર ધર્મલિપિઓ કાતરાવવાનું તેણે કહેલું નથી જ. તેના રાજકાળના સત્તાવીસમા વર્ષની પછી જ એ વિચાર તેને સૂઝ જણાય છે. આથી પણ એમ સાબીત થાય છે કે, તેના સાત મુખ્ય સ્તંભલેખો કોતરવાનું કામ પૂરું થયું ત્યારપછી જ તેના ચૌદ મુખ્ય શિલાલેખો તેમ જ પાંચ ગૌણ શિલાલેખે કાતરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ચોથે સવાલ એ છે કે, અશકના ચૌદ મુખ્ય શિલાલેખો પહેલા કાતરાએલા કે તેના પાંચ ગૌણ શિલાલેખ પહેલા કાતરાએલા ? આના સંબંધમાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, જ્યાં જ્યાં શિલાખંભ કે પર્વત હોય ત્યાંત્યાં પિતાને સહાશ્રમને અને રૂપનાથને ગૌણ શિલાલેખ કરવાનો હુકમ તેણે કરેલો હતો. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy