SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ક પરિશિષ્ટ. કઈ પણ વિદ્વાને અસુરોના પ્રશ્નને અભ્યાસ હજી સુધી બરાબર કર્યો નથી, એ ખરેખર દયાજનક સ્થિતિ છે. કેટલાક વિદ્વાનોએ અલબત્ત ભેડા વખતથી એમ સૂચવવા માંડયું છે કે, વેદસાહિત્યમાં લેકે તરીકે ઉલ્લેખાએલા અસુરો ઘણુંકરીને આસીરિયાવાસીઓ હતા. વળી, હિંદુસ્તાનની બહાર મેસોપોટેમિયામાં કે મધ્ય–એશિયામાં કોઈ સ્થળે આસીરિયાવાસી લેકેની સાથે આને સમાગમ જે સમયે થએલે તે સમયનાં સંભારણરૂપે એ ઉલ્લેખ છે, એમ પણ તેઓ કહે છે. પરંતુ તે વિદ્વાનોની પહેલાંના એચ. એચ. વિલ્સન સાહેબે અને કે. એમ. બૅનરજીએ એ જ સિદ્ધાંતો રજૂ કર્યા હતા, એ વાત દેખીતી રીતે ભૂલી જવામાં આવી લાગે છે. વિલ્સન સાહેબે કહ્યું છે કે, અસુરે તો હિંદુસ્તાનના પૂર્વદિક” લોકો હતા; અને તેમનાં શહેરોને નાશ ઇંદ્ર કરેલે કહેવાય છે. બૅનરજીએ એક ડગલું આગળ કરીને કહ્યું છે કે, અસુરે તે આસીરિયાવાસીઓ જ છે. તેણે એમ પણ કહ્યું છે કે, જે ત્રણ અર્થ માં “અહુર” શબ્દ “મ્યુનિફોર્મ” શિલાલેખોમાં વપરાય છે તે જ અર્થ માં “સુર” શબ્દ વેદસાહિત્યમાં વપરાએલે છે. પરંતુ તે વિલ્સન સાહેબથી વિરુદ્ધ પડીને એમ માને છે કે, હિંદુસ્તાનની અંદર નહિ પણ બહાર મધ્ય એશિયામાં આર્યોને સમાગમ આસીરિયાના લોકોની સાથે થયા હોવા જોઈએ. પણું યુનિફોર્મ માં વપરાય છે, ૧. સ. એ. સે, ૧૯૧૬, ૫ ૩૬૩-૩૬૬ જ. બી. ઍ. ર. એ. સે, પુ. ૨૫, પૃ. ૭૬ અને આગળ.. ૨. “ઋગવેદ” (અંગ્રેજી ભાષાંતર) પુ. 3, પ્રસ્તાવના, પૃ. ૧૪. ૩. “એરિયન વિટનેસ”(એરિયન સાક્ષી, પૃ. ૪૯ અને આમળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy