SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ કાળ દરમ્યાન મીસરથી માંડીને ઇરાન સુધીમાં ખૂબ પ્રસરેલી “એમાઈક' લિપિમાંથી તે ઊતરી આવેલી છે. તક્ષશિલામાંથી થોડા વખતના પહેલાં એરેમાઈક” લિપિમાં લખેલે લેખ મળી આવેલ છે તેથી એમ સાબીત થાય છે કે, ગંધારને જીતી લઈને એકીમીનિયન લકે એ રાજકારભારના કામે એરેમિયન લેકેને આપણું દેશમાં લાવ્યા, અને એ રીતે આપણું દેશના લેકને “એરેમાઈક ભાષાથી તેમ જ લિપિથી વાકેફ કર્યો. મૌર્યરાજેની રાજ્યવ્યવસ્થાનાં મૂળ લખાણના ઉપર તેમ જ હુજૂર દફતરેના ઉપર જે ઈરાની અસર થઈ હતી તેની નોંધ અગાઉ આપણે લઈ ગયા છીએ. વળી, હિંદુસ્તાનના વાયવ્યકોણમાં એકીમીનિયન લેકેએ વસવાટ કર્યો હતે તેથી એવું થવા પામ્યું હતું, એમ પણ આપણે પ્રથમ કહી ગયા છીએ.૧ બ્રાહ્મી લિપિની ઉત્પત્તિના સંબંધમાં જૂદા જૂદા અનેક વિચારે પ્રચલિત છે. પરંતુ એ સૌને સાર તરીકે ટૂંકામાં આપણે કહીએ તો, આ બાબતમાં મુખ્ય બે પક્ષે છે. એક પક્ષ એમ કહે છે કે, બ્રાહ્મી લિપિ આપણું દેશમાં જ ઉત્પન્ન થએલી છે. સૌના પહેલાં ભેંસન સાહેબે આ અભિપ્રાય સૂચવ્યો હતો, અને પાછળથી સર એલેક્ઝાંડર કનિંગહામ સાહેબે તેને ટકે આપ્યો હતો. બીજે પક્ષ એમ કહે છે કે, બ્રાહ્મી લિપિ “સેમિટિક લિપિમાંથી ઊતરી આવેલી છે. એ પક્ષમાં પણ પાછું બે તડ પડેલાં છે. તે પૈકીના એક તડમાં વેબર સાહેબ અને ખુહલર સાહેબ છે. હિંદુસ્તાનના લિપિશાસ્ત્રમાં નિષ્ણાત થએલા બધા યુરોપીય વિદ્વાન એ બે સાહેબના અભિપ્રાયને માન્ય રાખે છે. એ બન્ને સાહેબ એમ માને ૧. બુદ્ધર કૃત “ઇડિયન પેલિયોગ્રાફી” (હિંદુસ્તાનનું લિપિશાસ્ત્ર) (ભાષાંતર), પૃ. ૨૪ અને આગળ; ઈ. અ, ૧૯૦૪, પૃ. ૭૯ અને આગળ ઈ. એ., ૧૯૦૫, પૃ. ૨૧ અને આગળ અને પૃ. ૪૧ અને આગળ; ઈ. એ, ૧૯૦૬, પૃ. ૪ અને આગળ; “બ્રિજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા” (હિંદુસ્તાનને ઇતિહાસ -કૅબ્રિજ યુનિવર્સિટી તરફથી), પુ. ૧, પૃ. ૬૨ અને ૫૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy